દિલ્હી કેપિટલ્સનાં 5 મેમ્બર્સને કોરોના થતા બુધવારની દિલ્હી અને પંજાબ વચ્ચેની મેચને પુનાને બદલે મુંબઈમાં જ આયોજિત કરવાનો BCCIએ નિર્ણય લીધો છે.
દિલ્હી કેપિટલ્સનાં 5 મેમ્બર્સને થયો કોરોના
પુનાને બદલે મુંબઈમાં રમાશે મેચ
દિલ્હી અને પંજાબ વચ્ચે બુધવારે છે મેચ
દિલ્હી કેપિટલ્સનાં 5 મેમ્બર્સને થયો કોરોના
IPL સાથે જોડાયેલ એક મોટા સમાચાર સામે આવ્યા છે. દિલ્હી કેપિટલ્સનાં કેંપમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે. અહી એક નહી પણ પાંચ કોરોના કેસ મળ્યા છે. જ્યાર બાદ BCCIએ એક મોટો નિર્ણય લીધો છે. હવે દિલ્લી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે થનાર મેચ પુનામાં નહી પણ મુંબઈમાં જ રમાશે.
IPL દ્વારા જાહેર પ્રેસ રિલીઝમાં જાણકારી આપવામાં આવી છે કે દિલ્હી કેપિટલ્સનાં કુલ 5 લોકોને કોરોના થયો છે, જે કારણે આ નિર્ણય લેવો પડી રહ્યો છે.
Delhi Capitals all-rounder Mitchell Marsh has tested positive for COVID-19, following which he has been admitted to a hospital. The Delhi Capitals medical team is closely monitoring Marsh’s condition. pic.twitter.com/lvatopJtcV
જાણકારી અનુસાર, કોરોનાનાં મામલાઓ સામે આવ્યા બાદ બધાને આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. આઈસોલેશનનાં છટ્ઠા અને સાતમાં દિવસે બધાનો ટેસ્ટ કરવામાં આવશે, જ્યાર બાદ જ આગળ નિર્ણય લેવામાં આવશે.
16 એપ્રિલ બાદથી જ દિલ્હી કેપિટલ્સનાં કેંપમાં રોજ RT-PCR ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.
પુનાને બદલે મુંબઈમાં રમાશે મેચ
આ પહેલા દિલ્હી કેપિટલ્સએ એક નિવેદનમાં કહ્યું હતું કે દિલ્લી કેપિટલ્સનાં ઓલરાઉન્ડર મિશેલ માર્શએ કોવિડ 19 માટે સકારાત્મક પૈક્ષણ કર્યું છે, જ્યાર બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, દિલ્હી કેપિટલ્સ મેડિકલ ટીમ માર્શની સ્થિતિની દેખરેખ રાખી રહી છે. બાયો બબલમાં હાજર અમુક સદસ્યો પણ પોઝીટીવ આવ્યા છે, જોકે તેમાં કોરોના વાયરસનાં કોઈપણ લક્ષણો જોવા મળ્યા નથી છતાં મેડિકલ ટીમ તેમની દેખરેખ કરી રહી છે.
કોવિડ કેસ મળ્યા બાદ દિલ્લી કેપિટલ્સનાં બધા પ્લેયર્સ ક્વોરન્ટીનમાં ચાલ્યા ગયા હતા. ટીમને મુંબઈમાં તાલીમ લેવા માટે કહેવામાં આવ્યું છે. BCCI નથી ઇચ્છતું કે ખેલાડીઓ પુનાની યાત્રા કરે, એટલે વધારે બાયો બબલ બ્રીચ ન થાય. ત્યાં, દિલ્લી કેપિટલ્સની ટીમનાં બધા સદસ્યોનો મંગળવારે સવારે કરવામાં આવેલ ટેસ્ટનાં પરિણામો હજુ આવ્યા નથી.
વધી શકે છે BCCIની તકલીફો
IPL 2021 કોરોના મહામારીને કારણે ખૂબ પ્રભાવિત થયું હતું. પછી 4 મે 2021 ના રોજ, આઇપીએલને અધવચ્ચે સ્થગિત કરવી પડી. આ ઘોષણા સનરાઈઝર્સ હૈદરાબાદના વિકેટકીપર બેટ્સમેન ઋદ્ધિમાન સાહા અને દિલ્લી કેપિટલ્સનાં સ્પિનર અમિત મિશ્રાનાં કોવિડ 19 પોઝીટીવ આવ્યા બાદ કરવામાં આવી હતી. આ દરમિયાન લીગનાં સ્થગિત થયા સમયે કુલ 29 લીગ મેચોનું આયોજન થયું હતું. હવે હાલની સ્થિતિ જોતા BCCIની તકલીફો ફરી વધી શકે એવું લાગી રહ્યું છે.