દુનિયાનું એકમાત્ર જીવિત શિવલિંગ ખજૂરાહોના મતંગેશ્વર મંદિરમાં છે. શિવજીના દ્વારા આપવામાં આવેલા મણિથી બનેલું આ શિવલિંગ જમીનની ઉપર અને અંદર પણ સતત વધી રહ્યું છે.
દુનિયાનું એકમાત્ર જીવિત શિવલિંગ
ધરતીના ખતમ થવાનો સંકેત આપે છે આ એકમાત્ર મંદિર
ખજૂરાહોના મતંગેશ્વર મંદિરમાં આવેલું છે જીવિત શિવલિંગ
આજે પણ અનેક રહસ્ય એવા છે જેની પાછળનું કારણ વિજ્ઞાન અત્યાર સુધી શોધી શકાયું નથી, પછી તે દર વર્ષે અમરનાથની ગુફામાં બનેલું શિવલિંગ હોય કે પછી મધ્યપ્રદેશનું એક મંદિર જે દિનપ્રતિદિન મોટું થઈ રહ્યું છે. હા ખજૂરાહોનું મતંગેશ્વર મંદિરનું શિવલિંગ એવું છે જે સતત વધી રહ્યું છે.
કહેવાય છે જીવિત શિવલિંગ
આ શિવલિંગને એકમાત્ર જીવિત શિવલિંગ (Jeevit Shivling) કહેવામાં આવે છે. માનવામાં આવે છે કે તે સતત મોટું થઈ રહ્યું છે. તેની ઉંચાઈ 9 ફીટથી વધારે થઈ ચૂકી છે. આ શિવલિંગ દર વર્ષે 1 ઈંચ વધે છે. તેની ખાસિયત છે કે તે જમીનની ઉપર અને અંદર શિવલિંગ પાતાળ લોક સુધી પહોંચે છે. તે દિવસે પૃથ્વીનો અંત આવશે.
આ પૌરાણિક કથા જોડાયેલી છે
વીતતા સમયની સાથે શિવલિંગના મોટા થવાની પાછળ એક પૌરાણિક કથા પણ જોડાયેલી છે. તેના અનુસાર શિવજીએ પાંડવોમાં સૌથી મોટા ભાઈ યુધિષ્ઠિરને ચમત્કારિક મણિ આપ્યો હતો. તેને યુધિષ્ઠિરે મતંગ ઋષિને આપ્યો. આ પછી આ મણિ રાજા હર્શવર્મનને મળ્યો અને તેઓએ તેને જમીનમાં દાટ્યો. કહેવાય છે કે આ મણિથી જીવિત શિવલિંગ બન્યું છે. મતંગ ઋષિના નામે આ મતંગેશ્વર શિવલિંગ બન્યું છે અને એ નામે જ ઓળખાય છે.