જ્યારે પણ લોકો મંદિરમાં જાય છે ત્યારે પ્રસાદ લઇને જતા હોય છે. કેટલાક ભક્તો પોતાની ઇચ્છાશક્તિ અનુસાર ભગવાનને ભોગ લગાવે છે. પરંતુ આપે એવું ક્યાંય એવું સાંભળ્યું છે કે લોકો મંદિરમાં ચોરી કરવા જતા હોય..? જી.હા ભારતમાં એક મંદિર એવું આવેલ છે જ્યાં લોકો દર્શન કરવા નહીં ચોરી કરવા જાય છે.
આપને જણાવી દઇએ કે દેવભૂમિ ઉત્તરાખંડના રુડકી જિલ્લામાં ચૂડિયાલા ગામ આવેલ છે. આ એક પ્રાચીન મંદિર છે. જે ચૂડામણિ દેવીના મંદિર તરીકે ઓળખ પામેલ છે.
આ મંદિરમાં દર્શનાર્થીઓ દર્શન કરવા માટે નહીં પરંતુ ચોરી કરવા માટે આવતા હોય છે. આપને જણાવી દઇએ કે જે શ્રધ્ધાળુઓ અહીં દર્શન કરવાની સાથે જો તે ચોરી કરે છે તો તેની તમામ મનોકામના માતાજી પૂર્ણ કરે છે.
આ મંદિર સાથે જોડાયેલ લોકવાયકામાં મુજબ સદીઓ પહેલા અહીં એક નિ:સંતાન રાજા શિકાર કરવા માટે આ જંગલમાં આવ્યો હતો. તેણે આ સ્થળે માતાજીના પીંડના દર્શન કર્યા આ સાથે જ તેણે માતાજીને પ્રણામ કરીને પુત્ર પ્રાપ્તિ પ્રાર્થના કરી અને માતાજીએ તેની ઇચ્છા પૂર્ણ કરી. આ સાથે રાજાને થોડા દિવસ બાદ પુત્રરત્નની પ્રાપ્તિ થઈ. આ ઘટના બાદ રાજાએ આ સ્થળે એક ભવ્ય મંદિર બનાવડાવ્યું હતું.
ચોરી પાછળ છે માન્યતા
ઉલ્લેખનીય છે કે સંતાનની આશા રાખનારા લોકો આ મંદિરના અચૂક દર્શન કરવા આવી પહોંચે છે. જે લોકો સંતાન મેળવવા ઇચ્છે છે તેણે માતાજીની મૂર્તિ સામે આવીને માથું નમાવી રાખવામાં આવેલ એક લાકડીને ગુડ્ડાને ઉઠાવીને ચોરી કરીને સાથે લઇ જવાનું હોય છે. આમ કરવાથી માતાજી મનોકામના પૂર્ણ કરે છે. આ સાથે જ પુત્ર પ્રાપ્તિ થયા બાદ પરિવારજનોએ આ મંદિરે આવીને ભંડારો કરવો પડે છે. આ કારણે જ આ મંદિર ભારતભરમાં પ્રચલિત છે.