રાજકોટ: ઉપલેટામાં આવેલી ક્રિષ્ના શૈક્ષણિક સંકુલમાં ગીફ્ટ બોમ્બ મુકનાર માસ્ટર માઈન્ડ વૃદ્ધને રાજકોટ રૂરલ પોલીસે ઝડપી પાડ્યો છે. રાજકોટમાં રહેતા એક શખ્સે ક્રિષ્ના દ્વારા સ્કુલના ટ્રસ્ટી સાથેની અંગત અદાવતને કારણે બોમ્બ પ્લાન્ટ કર્યો હતો. આરોપીની પૂછપરછ દરમ્યાન અન્ય પણ ચોંકાવનારો ખુલાસો થયો હતો.
કોણ છે આ માસ્ટરમાઇન્ડ? શા માટે મુકવામાં આવ્યો હતો બોમ્બ? આરોપી દ્વારા શું થયો મોટો ખુલાશો?
આ મામલે રાજકોટ રૂરલ પોલીસે એક વૃદ્ધ શખ્સની ધરપકડ કરી હતી. આ વૃદ્ધનું નામ નાથાભાઈ રવજીભાઈ ડોબરિયા છે. તેના પર ઉપલેટાની ક્રિષ્ના શૈક્ષણિક સંકુલમાં ગીફ્ટ બોમ્બ મુકવાનો આરોપ છે. ગત તારીખ ૧૬ ઓક્ટોબરના ક્રિષ્ના શૈક્ષણિક સંકુલમાંથી એક પાર્સલ ગીફ્ટ બોમ્બ મળી આવ્યો હતો. જેની તપાસ દરમ્યાન પોલીસે સીસીટીવીને આધારે રાજકોટમાં રહેતા નાથાભાઈ ડોબરિયાની અટકાયત કરી તેની પુછપરછ હાથધરી હતી. જે દરમ્યાન તેણે જ ક્રિષ્ના સ્કુલમાં બોમ્બ પાર્સલ દ્વારા મોકલ્યા હોવાનો કબુલાત કરી હતી. ક્રિષ્ના સ્કુલના સંચાલક સાથેના મકાનના રૂપિયાની લેતી દેતીમાં વાંધો પડ્યો હોવાથી સ્કૂલના ટ્રસ્ટીને ઉડાવી દેવાનો પ્લાન ઘડ્યો હતો.
વર્ષ ૨૦૦૬માં આરોપીએ ફરિયાદીને એક મકાન વેચ્યું હતું. જેમાં પૈસાની લેતીદેતી મામલે કોર્ટ કેસ ચાલી રહ્યો હતો. મહાનના વેચાણ બાદ આરોપી અને ફરિયાદ વચ્ચે સતત અણબનાવ પણ રહેતો હતો. જેનાથી ત્રાસીને ફરિયાદીને વિસ્ફોટક પદાર્થથી ઉડાવી દેવાનું નક્કી કર્યું હતું. શંકા ન જાય તે માટે રાજકોટથી કુરિયર કરવાને બદલે અમરેલી જઇને ત્યાંથી કુરિયર કર્યું હતું.
પોલીસ દ્વારા બોમ્બના માસ્ટર માઈન્ડ નાથાભાઈની પુછપરછમાં ચોકાવનારો ખુલાસો સામે આવ્યો છે. ૧૯૯૯માં ઉપલેટામાં જે બોમ્બ બ્લાસ્ટ થયો હતો જેનો ભેદ પણ પોલીસે ઉકેલી કાઢ્યો છે. ઉપલેટામાં પાર્સલ બોમ્બનો માસ્ટર માઇન્ડ પટેલ વૃદ્ધ નાથાભાઇ રવજીભાઇ ડોબરીયાને ઝડપી પાડતા ૧૯૯૯ની સાલમાં થયેલા બોમ્બ બ્લાસ્ટમાં બેના મોત થયા હતા તેનો પણ ભેદ ઉકેલાયો છે. આરોપીને 1999માં પિતાની જમીન બાબતે ગીરીશભાઈ લખમણભાઈ સોજીત્રા તથા રતિલાલ જીવાભાઈ પાદરિયા સાથે તકરાર થતા આવી જ રીતે ગિફ્ટ પાર્સલ બનાવી રૂબરૂ આપ્યું હતું. જેમાં બોમ્બ બ્લાસ્ટમાં બંનેના મોત નીપજ્યા હતા. તેમજ અન્ય એક વ્યક્તિ બટુકભાઈ મુરાણીને ઇજા થઈ હતી. આ વણ શોધાયેલો ગુનો પણ આરોપીએ કબૂલ્યો હતો.
બોમ્બ બનાવવા માટે નાથાભાઈ દ્વારા છેલ્લા ચારેક મહિનાથી કાર્યવાહી હાથ ધરી હતી. આરોપી નાથાભાઈ 20 વર્ષ અગાઉ પોતાના મામાની ઇલેકટ્રીકની દુકાનમાં બેસતા હતા. તે સમયે ઇલેક્ટ્રિક કામ બાબતે તેને પુછપરછ કરી હતી. નાથાભાઈને ખેતીની જાણકારી હોવાથી અગાઉ વિસ્ફોટક પદાર્થ બનાવ્યો હતો. એક વખત બોમ્બ બનાવ્યો હોવાથી તેને કેટલીક જાણકારી હતી. જેથી આ વખતે ખુબ શક્તિશાળી વિસ્ફોટક તૈયાર કર્યો હતો. નાથાભાઈ દ્વારા જે અગાવ ઉપલેટામાં બોમ્બ બ્લાસ્ટ કર્યો હતો. તેની આજ સુધી કોઈને જાણ પણ કરી ના હતી. નાથાભાઈએ પોલીસને ગેરમાર્ગે દોરવા સ્કુલમાં બોમ્બની સાથે એક ચિટ્ઠી મોકલી હતી. જેમાં સ્કુલ સંચાલકના સબંધી દ્વારા પાર્સલ મોકલ્યા હોવાનું ઉલ્લેખ કર્યો હતો. માસ્ટર માઈન્ડ નાથાભાઈએ સ્કુલના સંચાલક અને પોલીસને કોઈપણ પ્રકારની ભણક ના આવે તેવો માસ્ટર પ્લાન બનાવો હતો. પરંતુ એક સીસીટીવોના આધારે પોલીસ આરોપી નાથાભાઈ સુધી પહોચી ગઇ.
હાલ તો રાજકોટ રૂરલ પોલીસે બોમ્બના માસ્તર માઈન્ડ નાથાભાઈને પકડી પડ્યો છે. વધુ પૂછપરછ હાથ ધરી છે. પોલીસે ક્રિષ્ના સ્કુલમાં બોમ્બ પાર્સલ કરનારા નાથાભાઈ પાસે એક નહીં પરંતુ બીજો મોટો ગુનો પણ ઉકેલી કાઢ્યો છે. ત્યારે આરોપીને કોર્ટમાં રજુ કરી રિમાન્ડની માગની કરી નાથાભાઈની વધુ પુછપરછ હાથ ધરવામાં આવશે.