ઇસ્લામાબાદ: મુંબઇ આતંકી હુમલસાનો માસ્ટમાઇન્ડ જાકી-ઉર-રહમાન લખવી પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં આતંકી ગતિવિધિઓ માટે ફંડ અકત્રિત કરી રહ્યો છે. હોટલ તાજમાં 26 નવેમ્બર 2008એ આતંકી હુમલો કરનાર લખવીને 2015માં લાહોર હાઇ કોર્ટથી જામીન મળ્યા હતા. એ લશ્કર એ તૈયબાના ટોપ કમાન્ડર્સમાંથી એક છે અને ભારતનો મોસ્ટ વોન્ટેડ આતંકી છે.
મીડિયા રિપોર્ટસ અનુસાર ઇન્ટેલિજેન્સને જાણકારી મળી છે કે એપ્રિલ 2015માં રાવલપિંડીની અદિઆલા જેવથી મુક્ત થયા બાદ લખવી લાંબા સમયથી ગુમ રહ્યો એ દરમિયા એ આતંકી સંગઠનોના કામમા સામેલ રહ્યો. સૂત્રોએ જણાવ્યું તે લખવી ફેબ્રુઆરી 2018માં ફરીથી લાઇમ લાઇટ આવ્યો અને પંજાબ ક્ષેત્રમાં એ ફંડ એકત્રિત કરી રહ્યો છે. ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સે પાકિસ્તાનને આતંકવાદીઓને ફંડ કરનાર શંકાસ્પદ દેશોની લિસ્ટમાં સામેલ કર્યા છે. તેમ છતાં વિવિધ ટ્રસ્ટ અને ચેરિટીના નામ પર આતંકી પાકિસ્તાનમાં પોતાના સંગઠનો માટે ફંડ એકત્રિત કરી રહ્યો છે.
જણાવી દઇએ કે 26 11 અટેકનો બીજો માસ્ટર માઇન્ડ હાફિઝ સઇદ પાકિસ્તાનમાં રાજકીય કરિયર શરૂ કરવાની ફિરાકમાં છે. એના સંગઠન જમાત ઉદ દાવા પર પ્રતિબંધ છતાં એ પાકિસ્તાનમાં પબ્લિક રેલીઓને સંબોધિત કરે છે. જણાવી દઇએ કે હાફિઝ સઇદની પાર્ટી 'મિલ્લી મુસ્લિમ લીગ'ને અમેરિકા વિદેશી આતંકી સંગઠન જાહેર કરી ચૂક્યો છે. ટ્રંપ સરકારની જાહેરાત બાદ હાફિઝએ આ નિર્ણયની મજાક ઊડાવી હતી.