મહારાષ્ટ્રમાં ગત અનેક દિવસોથી વધી રહેલા કોરોના વાયરસના મામલામાં બુધવારે અચાનક મોટો ઉછાળો નોંધાયો છે.
સમાજ તથા ધાર્મિક નેતાઓને સાથે લેવાની વાત પણ કરાઈ
5 મહિનામાં આ મુંબઈના અત્યાર સુધીના સૌથી વધારે કેસ
સીએમ ઠાકરેએ લોકોને વિચારવા સમય આપ્યો
5 મહિનામાં આ મુંબઈના અત્યાર સુધીના સૌથી વધારે કેસ
મહારાષ્ટ્રમાં બુધવારે કોરોના વાયરસના 13, 659 કેસ સામે આવ્યા છે. ત્યારે મુંબઈમાં 1539 કેસ સામે આવ્યા છે. જણાવી દઈએ કે 5 મહિનામાં આ મુંબઈના અત્યાર સુધીના સૌથી વધારે કેસ છે. મુંબઈમાં 8 માર્ચે 1361 મામલા દાખલ કરવામાં આવ્યા છે. જે 28 ઓક્ટોબર બાદથી સૌથી વધારે હતા. ત્યારે મંગળવારે મુંબઈમાં 1, 012 કેસ નોંધાયા હતા. જ્યારે સોમવારે નવા મામલાની સંખ્યા 1014 હતી. મહારાષ્ટ્રમાં છેલ્લી વાર 16 ઓક્ટોબરે 11000થી વધારે કેસ સામે આવ્યા હતા.
ગત 24 કલાકમાં 54 લોકોના મોત થયા
મહારાષ્ટ્રમાં ગત 24 કલાકમાં 54 લોકોના મોત થયા. જ્યારે 9,913 લોકોને હોસ્પિટમાંથી રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં 52610 લોકોના જીવ ગયા છે. જ્યારે રાજ્યમાં કુલ કેસની સંખ્યા 22 લાખ 52 હજાર 57 છે. મુંબઈમાં કોરોનાના આટલા વધારે કેસ એવા સમયે આવ્યા જ્યારે પ્રશાસન ફરી લોકડાઉનને લઈ વિચાર વિમર્શ કરી રહ્યું છે. મહારાષ્ટ્રમાં વધતા કેસના કારણે અનેક જિલ્લામાં પહેલા જ લોકડાઉન કરી દેવામાં આવ્યું છે. પૂણે, થાણે, અમરાવતીમાં લોકડાઉન છે તો ઔરંગાબાદ, જલગાંવ સહિત અનેક જિલ્લામાં નાઈટ કર્ફ્યૂ, જનતા કર્ફ્યુ જેવા પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે.
સીએમ ઠાકરેએ લોકોને વિચારવા સમય આપ્યો
ત્યારે સીએમ ઉદ્ધલ ઠાકરેએ વધતા કેસને જોતા લોકોને વિચારવા માટે સમય આપ્યો છે અને કહ્યું છે કે જો આ લોકડાઉનથી બચવા માંગો છો તો જરૂરી નિયમોનું પાલન કરો. આ ઉપરાંત કોવિડ 19ના મામલામાં તીવ્ર વૃદ્ધિ પર નિયંત્રણ મેળવવા મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય વિભાગે કોરોનાગ્રસ્તના સંપર્કમાં આવનારની તપાસ, સંક્રમિતોના નજીક આવનારા લોકોની ઓળખ, ઝડપથી તપાસ, હોટસ્પોર્ટમાં સઘન તપાસ અને મોતના ઓડિટ સહિત 7 સૂત્રી કાર્યયોજનાઓ બનાવી છે.
સમાજ તથા ધાર્મિક નેતાઓને સાથે લેવાની વાત પણ કરાઈ
કાર્યયોજનામાં સામાજિક, રાજનીતિક તથા ધાર્મિક, જમાવડો માટે તબક્કાવાર દિશાનિર્દેશોનું કડકાઈથી પાલન કરવા તથા લોકોને કોવિડ 19 સંક્રમણ રોકનારા નિયમોનું પાલન કરવા લોકોને પ્રેરિત કરવા માટે સમાજ તથા ધાર્મિક નેતાઓને સાથે લેવાની વાત પણ કરાઈ છે.