બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / VIDEO : મહાકુંભની આગ આવી કાબુમાં, શ્રદ્ધાળુઓનો વાળ પણ વાંકો ન થયો, કારણ આવ્યું સામે

પ્રયાગરાજ / VIDEO : મહાકુંભની આગ આવી કાબુમાં, શ્રદ્ધાળુઓનો વાળ પણ વાંકો ન થયો, કારણ આવ્યું સામે

Last Updated: 06:01 PM, 19 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રયાગરાજ મહાકુંભમાં વિકરાળ આગ લાગવા પાછળનું કારણ સામે આવ્યું છે. ખાવાનું બનાવતી વખતે રાંધણ ગેસમાં બ્લાસ્ટ થતાં આગ લાગી હતી.

યુપીના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં લાગેલી વિકરાળ આગ કાબુમાં આવી ગઈ છે. ફાયર ફાઈટર્સ દ્વારા તાબડતોબ આગને કાબુમાં લઈ લેવાઈ હતી. સદનસીબે, જાનહાનીના કોઈ સમાચાર નથી. સેક્ટર 19માં વિકરાળ આગ લાગતાં સેંકડો તંબૂઓ સળગીને ખાખ થઈ ગયાં હતા.

કેવી રીતે લાગી આગ

હકીકતમાં સેક્ટર 19ના બનાવતી વખતે સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો જેને કારણે આગ લાગી હતી જે બાજુના તંબૂઓમાં ફેલાઈ હતી અને થોડી વારમાં વિકરાળ રુપ ધારણ કર્યું હતું.

શું નુકશાન થયું

ગોરખપુરના અખિલ ભારતીય ધાર્મિક સંઘ ગીતા પ્રેસના કેમ્પમાં આગ લાગી હતી. કેમ્પમાં રાખેલો તમામ સામાન બળીને રાખ થઈ ગયો છે. આ ઉપરાંત સેંકડો તંબૂઓ પણ સળગીને ખાખ થઈ ગયાં છે. આ આગ એટલી ભીષણ છે કે આખા વિસ્તારમાં ધૂમાડાના ગોટે ગોટા ઉડતાં જોવા મળ્યાં હતા.

શું બોલ્યાં ADG

પ્રયાગરાજના ADG ભાનુ ભાસ્કરે કહ્યું કે મહા કુંભ મેળાના સેક્ટર 19માં બે-ત્રણ સિલિન્ડર ફાટ્યા, જેના કારણે શિબિરોમાં ભારે આગ લાગી હતી. આગને કાબુમાં લેવામાં આવી છે.

250 તંબૂઓ સળગીને ખાખ

મહાકુંભ મેળા વિસ્તારમાં હાજર એક પ્રત્યક્ષદર્શીએ દાવો કર્યો હતો કે આગમાં લગભગ 250 ટેન્ટ બળીને ખાખ થઈ ગયા હતા. આગની જ્વાળાઓ ખૂબ જ ઊંચી હતી. ખૂબ મોટા વિસ્તારમાં આગ લાગી હતી.

સીએમ યોગી દોડી આવ્યાં

સીએમ યોગી આદિત્યનાથે આ ઘટનાની ગંભીર નોંધ લીધી હતી અને જેવી આગની ખબર મળી કે તાબડતોબ દોડી આવ્યાં હતા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

mahakumbh fire
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ