બાંગ્લાદેશના ચટગામમાં એક શિપિંગ કંટેનર ડિપોમાં મોટી દુર્ઘટના થઈ છે. રવિવારે મોડી રાતે અહીં ભીષણ આગ લાગી ગઈ હતી.
બાંગ્લાદેશમાં મોટી દુર્ઘટના
કંટેનર ડિપોમાં આગ ફાટી નિકળી
અત્યાર સુધીમાં 35 લોકોના થયા મોત
બાંગ્લાદેશના ચટગામમાં એક શિપિંગ કંટેનર ડિપોમાં મોટી દુર્ઘટના થઈ છે. રવિવારે મોડી રાતે અહીં ભીષણ આગ લાગી ગઈ હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 35 લોકોના મોત થઈ ગયા છે. મરનારા લોકોમાં 5 ફાયરના જવાનો પણ સામેલ છે. 300થી વધારે લોકો ઘાયલ પણ થયા છે. મૃતકોની સંખ્યા હજૂ પણ વધી શકે છે. સરાકરી મેડિકલ કોલેજમાં તૈનાત એક પોલીસ કર્મીએ આ પ્રકારની જાણકારી છે કે, અત્યાર સુધીમાં 35 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે.
કંટેનર ડેપોમાં આગ લાગતા બ્લાસ્ટ થયો
આ અકસ્માત ચિત્તાગોંગના સીતાકુંડ ઉપ-જિલ્લાના કદમરસુલ વિસ્તારમાં બીએમ કન્ટેનર ડેપોમાં થયો હતો. ચટગાંવ મેડિકલ કોલેજ હોસ્પિટલ પોલીસ ચોકીના પોલીસ અધિકારી નૂરુલ આલમના જણાવ્યા અનુસાર, શનિવારે રાત્રે 9 વાગ્યાની આસપાસ કન્ટેનર ડેપોમાં આગ લાગી હતી. ફાયર સર્વિસ યુનિટના કર્મચારીઓ આગ ઓલવવામાં વ્યસ્ત હતા ત્યારે રાત્રે 11:45 વાગ્યે જોરદાર વિસ્ફોટ થયો અને આગ ફેલાઈ ગઈ. કન્ટેનરમાં કેમિકલ હોવાથી આગ એક કન્ટેનરમાંથી બીજા કન્ટેનરમાં ફેલાઈ હતી. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે, તેનો અવાજ કેટલાય કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો. આજુબાજુના ઘરો હલી ગયા. અનેક ઘરોના કાચ પણ તૂટી ગયા હતા.
300થી વધારે લોકો ઘાયલ થયાં
ચટગાંવના આરોગ્ય અને સેવા વિભાગના વડા ઇસ્તાકુલ ઇસ્લામે જણાવ્યું હતું કે, શનિવારે રાત્રે સીતાકુંડા ઉપજિલ્લાના કદમરસુલ વિસ્તારમાં સ્થિત બીએમ કન્ટેનર ડેપોમાં આગ લાગી હતી. આગ અને તેના પછીના વિસ્ફોટોમાં ઘણા લોકોના મોત થયા હતા. પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનો સહિત સેંકડો લોકો દાઝી ગયા હતા. ચટગાંવ પ્રદેશના મુખ્ય ડૉક્ટરે જણાવ્યું કે અકસ્માતમાં મૃત્યુઆંક વધીને 35 થઈ ગયો છે. 300 થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘાયલોની સારવાર ચાલુ છે.
આગ લાગવાનું કારણ અકબંધ
BM કન્ટેનર ડેપોના ડાયરેક્ટર મુજીબુર રહેમાને કહ્યું કે આગ કયા કારણોસર લાગી તે હજુ સ્પષ્ટ નથી, પરંતુ લાગે છે કે આગ કન્ટેનરમાંથી લાગી હતી. ચટગાંવ ફાયર બ્રિગેડ અને સિવિલ ડિફેન્સના આસિસ્ટન્ટ ડિરેક્ટર મોહમ્મદ ફારૂક હુસૈન સિકંદરે જણાવ્યું હતું કે, આગને કાબૂમાં લેવા માટે 19 થી વધુ ફાયર ટેન્ડરોને સેવામાં દબાવવામાં આવ્યા હતા.