અરવલ્લીમાં ઘઉંના ખેતરમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. બાયડના સુંદરપુરા ગામમાં ખેતરમાં આગ લાગી હતી. ખેતર પરથી પસાર થતા વીજ તારમાંથી તણખા પડતા ખેતરમાં આગ લાગી હતી. આ ઘટના સર્જાતા 2 વીઘા ઘઉં બળીને ખાખ થયા છે. સ્થાનિકોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો છે.
ઉલ્લેખનીય છે કે આ ઘટનામાં બે વિઘા ઘઉંના પાકને નુકસાન પહોંચતા ખેડૂત સહિત તેના પરિવારજનો પર આભ તૂટી પડ્યુ હતું.આ ઘટના ત્યારે બની હતી જ્યારે વાવેલ પાકને લણવાની તૈયારીઓ કરવામાં આવી રહી હતી.
આપને જણાવી દઇએ કે હાલ એક બાજુ ગરમી અને બીજી બાજુ હાઇ વોલ્ટેજમાં સ્પાર્ક ના કારણે ખેડૂતોમાં ચિંતા પ્રસરી ગઇ છે પરંતુ વિજળી બોર્ડ આ અંગે કોઇ જ કાર્યવાહી કરવા તૈયાર નથી. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા એક માસમાં બાયડ અને આસપાસના ગામડાઓમાં આ ચોથો બનાવ છે.