આસામના તિનસુકિયામાં 14 દિવસ બાદ પણ આગ બેકાબૂ છે. તિનસુકિયામાં ઓઇલ ઇન્ડિયા લિમિટેડના કૂવામાં બ્લાસ્ટ બાદ ભીષણ આગ લાગી છે. ત્યારે આગને કાબૂમાં લેવા સિંગાપુરથી એક્સપર્ટની ટીમ પહોંચી છે.
ઓઇલ ઇન્ડિયા લિમીટેડના કૂવામાં બ્લાસ્ટ બાદ લાગી છે આગ
ઉલ્લેખનીય છે કે, સિંગાપુરથી 3 એક્સપર્ટની ટીમ તિનસુકિયા પહોંચી છે. વિસ્ફોટથી ગેસ લીકેજ થતા આગ બેકાબૂ બની છે. જેના કારણે આસપાસના 3 હજાર લોકોને રાહત શિબિરમાં લઇ જવાયા છે. 27 મે એ બ્લાસ્ટ થયા બાદ ભીષણ આગ લાગી હતી. જે હજુ પણ બેકાબૂ છે.