મહારાષ્ટ્રના પાલઘરમાં ભારત કેમિકલ્સ ફેક્ટરીમાં શનિવારે રાત્રે બ્લાસ્ટ થયો હતો.
મહારાષ્ટ્રના પાલઘર સ્થિતિ ફેક્ટરીમાં આગ
કેમિકલ પ્લાન્ટમાં અચાનક થયો બ્લાસ્ટ
જાનહાનીના કોઈ અહેવાલ નહીં
સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યા અનુસાર પરિસ્થિતિને કાબૂમાં લેવા ફાયર ફાઈટર સ્થળ પર પહોંચ્યા હતા. જો કે, અહેવાલો અનુસાર, આ વિસ્ફોટમાં અનેક લોકો ઘાયલ થયા છે. ઘાયલોને બાદમાં નજીકની થુંગા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
બ્લાસ્ટનું કારણ અકબંધ
પાલઘર જિલ્લાના બોઇસર તારાપુર ઔદ્યોગિક ક્ષેત્રમાં ભારત કેમિકલ્સ પ્લાન્ટ આવેલો છે. અહેવાલો મુજબ તમામ સંબંધિત અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે. જોકે, વિસ્ફોટના કારણોની જાણકારી મળી શકી નથી.
Maharashtra: An explosion took place at Bharat Chemicals in Plaghar's Boisar Tarapur Industrial area yesterday. Injured admitted to Thunga hospital. More details awaited. pic.twitter.com/MNDIEFFFAq
ગયા મહિનાની શરૂઆતમાં, પૂણેમાં એક કેમિકલ પ્લાન્ટમાં ભારે આગ લાગી હતી. આ ઘટનામાં કંપનીના 18 કર્મચારીઓ મૃત્યુ પામ્યા હતા. પુનાના ઘોટાવાડે ફાટામાં કંપનીના સેનિટાઈઝર યુનિટમાં આગ લાગી હતી. ફાયર વિભાગનું કહેવું છે કે આગના સમયે 37 કર્મચારી યુનિટની અંદર કામ કરી રહ્યા હતા. 20 કામદારોને બચાવી લેવામાં આવ્યા હતા. પરંતુ 18 કામદારો માર્યા ગયા હતા.