ભારત સરકાર છેલ્લાં કેટલાય વર્ષોથી આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદનાં આકા મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવા માટે મથામણ કરી રહ્યું હતું. જેમાં ભારતને આજે મોટી સફળતા મળી છે.
ભારત સરકાર છેલ્લાં કેટલાય વર્ષોથી આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદનાં આકા મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવા માટે મથામણ કરી રહ્યું હતું. જેમાં ભારતને આજે મોટી સફળતા મળતા મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકી જાહેર કરાયો છે. ચીનનું વલણ આતંકી મસૂદને લઈને નરમ પડતુ જોવાં મળ્યું હતું અને ચીને વીટો પરત ખેંચ્યો હતો. મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવાના પ્રયાસમાં રંગ લાવ્યા હતાં.
ચીનનાં વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા ગૈગ શુઅંગે કહ્યું હતું કે, 'ચીન આ મુદ્દાનું સમર્થન કરે છે. અમને આશા છે કે સુરક્ષા પરિષદની 1 હજાર 267 સમિતિ હેઠળ આ મુદ્દાનું સમાધાન થશે. આ મામલે ચાલી રહેલા રાજકીય સંવાદમાં હકારાત્મક પ્રગતિ થઈ છે.'
માર્ચ મહિનામાં મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવા મામલે ચીને રોડા નાખ્યાં હતા. ચીને વીટો પાવર વાપરીને મસૂદ અઝહરનો બચાવ કર્યો હતો. ચીને સંયુક્ત રાષ્ટ્ર પરિષદમાં કહ્યુ હતુ કે, અમે પુરાવા વગર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરી શકીએ નહીં અને તપાસ માટે હજુ વધુ સમય જોઈએ. ચીને મસૂદ અઝહરનો સંયુક્ત પરિષદમાં ચોથી વાર બચાવ કર્યો હતો. તમને જણાવી દઇએ કે અમેરિકા, ફ્રાંસ, બ્રિટન સિવયા રશિયા અને ચીન સુરક્ષા પરિષદનાં સ્થાયી સભ્યો છે. આ પાંચેય દેશો પાસે વીટોનો અધિકાર છે. જો કોઈ એક સભ્ય વીટોનો ઉપયોગ કરે તો પ્રસ્તાવ રદ કરવામાં આવે છે.