ભારતમાં કોરોના વાયરસના સતત વધી રહેલા કેસ વચ્ચે કેન્દ્ર સરકારે હવે માસ્ક અને સેનિટાઇઝરને જરૂરી વસ્તુ અધિનિયમમાં સામેલ કરવાનો નિર્ણય લીધો હતો. જેમાં હવે ફેરબદલ કરવામાં આવી છે. સરકારે માસ્ક અને સેનિટાઇઝરને Essential Commodity Act ની યાદીમાંથી હટાવી લીધા છે.
ભારતમાં કોરોના વાયરસના વધી રહેલા કેસ વચ્ચે સરકારનો મોટો નિર્ણય
માસ્ક અને સેનિટાઇઝરને જરૂરી વસ્તુ અધિનિયમમાંથી હટાવ્યા
હવે ફરીથી ગ્રાહકોને લૂંટી શકશે દુકાનદારો
કેન્દ્રિય ખાદ્ય તથા ગ્રાહક મામલાના મંત્રી રામવિલાસ પાસવાને ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, કોરોના વાયરસના ભય બાદ બજારના વલણ જોતા હવે સરકારે આવશક્ય વસ્તુ અધિનિયમ-1955ની અનુસૂચીમાં સંસોધન કરી 2,3 પ્લાઇ સર્જીકલ ફેસ માસ્ક, એન-95 માસ્ક અને હેન્ડ સેનિટાઇઝરને 30/6/2020 સુધી આવશ્યક વસ્તુ જાહેર કરી હતી અને આ નિર્ણયને કારણે કાળાબજારી અટકી હતી.
કોવિડ-19ના વર્તમાન પ્રકોપ અને કોવિડ-19 પ્રબંધન માટે લોજીસ્ટિક સંબંધી ચિંતાઓને જોતા સરકારે આ નિર્ણય લીધો હતો કારણ કે માસ્ક અને હેન્ડ સેનિટાઇઝર મોટાભાગના વેચાણકર્તાઓ પાસે ઉપલબ્ધ નહોતા અથવા વધારે કિંમત ચુકવવી પડતી હતી.
કાયદો તોડવા બદલ સાત વર્ષની કેદ
મંત્રાલયના નિવેદનમાં જણાવ્યા મુજબ, સરકારે જરૂરી ચીજવસ્તુ અધિનિયમ, 1955 ના સમયપત્રકમાં સુધારો કરીને, માસ્ક અને સેનિટાઇઝર્સને 30 જૂન, 2020 સુધીમાં આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ, 1955 હેઠળ આવશ્યક ચીજવસ્તુ તરીકે જાહેર કરવાનો આદેશ આપ્યો હતો. આવશ્યક ચીજવસ્તુ અધિનિયમના ઉલ્લંઘન કરનારાઓને સાત વર્ષની કેદની સજા થઈ શકે છે, જેનો અર્થ છે કે તેમને દંડ ભરવો પડી શકે છે, અથવા તેમને જેલ અને દંડ બંનેની સજા થઈ શકે છે.