કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ગુરુવારે કહ્યું હતું કે કોરોનાને કારણે થયેલા 70% મૃત્યુ ફક્ત પાંચ રાજ્યોમાં થયા છે. આ રાજ્યો મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ અને તમિલનાડુ છે.
મંત્રાલયે આપેલા ડેટા મુજબ પ્રતિ 10 લાખ વસ્તીમાં ચેપ લાગેલા કોરોનાના દર્દીઓની સંખ્યા 2792 છે. ભારત એવા દેશોમાં છે જ્યાં આ દર સૌથી નીચો છે. દેશમાં કોરોના વાયરસના ચેપથી સાજા થતાં લોકોની સંખ્યા હાલના દર્દીઓની સંખ્યા કરતા 3.6 ગણી વધારે છે.
માસ્ક માટે આ બાબત ધ્યાન રાખવી જરૂરી
કોવિડ ચેપ પછી શરીરમાં બનતા એન્ડોબોડીઝ વિશે મંત્રાલયે કહ્યું છે કે વિવિધ અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે એન્ટીબોડીઝની અસર 6 મહિનાથી એક વર્ષ સુધીની રહે છે. તે જ સમયે માસ્ક વિશે એવું કહેવામાં આવ્યું છે કે જો તમે તમારી વ્યક્તિગત કાર અથવા વાહન એકલા ચલાવી રહ્યા છો, તો માસ્કની જરૂર નથી. જો કારની અંદર વધુ લોકો તમારી સાથે હોય તો માસ્ક પહેરવું જરૂરી છે. ગ્રુપ ફિઝિકલ એક્ટિવિટી દરમિયાન પણ માસ્ક પહેરવાની સલાહ આપવામાં આવે છે.
આંકડો 38 લાખને પાર
નોંધપાત્ર વાત એ છે કે ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 38 લાખને વટાવી ગઈ છે. જો કે રિકવર થયેલા દર્દીઓની સંખ્યા પણ 30 લાખની નજીક પહોંચી ગઈ છે. એક્ટિવ કેસની સંખ્યા 815538 છે જ્યારે અત્યાર સુધીમાં 67376 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
વર્ષના અંતે અથવા આવતા વર્ષે આવી શકે છે રસી
નોંધનીય છે કે એઈમ્સના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ કહ્યું હતું કે રાષ્ટ્રીય સ્તરે કોરોના વાયરસ કમ્યુનિટી ટ્રાન્સમિશન થયું હોવાના પુરાવા ઓછા છે, પરંતુ જ્યાં હોટસ્પોટ્સ છે એવા શહેરોમાં કેસો વધી રહ્યા છે. તે સ્થળે એવી સંભાવના છે કે તે વિસ્તારોમાં કમ્યુનિટી ટ્રાન્સમિશન થઈ રહ્યું છે.
આ રસી ક્યારે મળશે તે અંગે પૂછતાં ગુલેરિયાએ કહ્યું કે આ બધું યોગ્ય રીતે થાય છે કે કેમ તેના પર નિર્ભર રહેશે. તેમણે કહ્યું, 'સંભવ છે કે અમે કહીએ કે રસી સલામત છે અને થોડા સમય પછી આપણને જાણ થાય કે આ રસી વધારે અસર આપી રહી નથી, તો પછી આપણે વધુ કંઇક કરવું પડે જેમાં થોડા વધુ મહિના લાગી શકે છે.'