દેશભરમાં રાષ્ટ્રીય નાગરિકતા બિલ લાગ થવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને મસ્જિદોએ મુસ્લિમોને પોતાના દસ્તાવેજ હાથવગા રાખવાનું કહ્યું છે. આ સાથે જ ઇમામ અને મૌલવીઓએ અપીલ કરી કે જો તેમના દસ્તાવેજ બરાબર ન હોય તો યોગ્ય કરાવી લેવા.
નાગરિકતા બિલને લઇ ઇમામોએ આપી સલાહ
મુસ્લિમો પોતાના દસ્તાવેજ રાખે યોગ્ય
મસ્જિદમાં ખોલાયા નાગરિકતા કેન્દ્ર
આપને જણાવી દઇએ કે, લોકોને તેમના દસ્તાવેજ તૈયાર રાખવા અને ભૂલો સુધારવા માટે બેંગ્લુરૂમાં જામીયા મસ્જિદમાં 3 મહિના પહેલા જ નાગરિકતા કેન્દ્ર પણ ખોલવામાં આવ્યું છે.
મસ્જિદોમાં ખુલ્યા 'નાગરિકતા કેન્દ્ર' :
બેંગ્લુરૂમાં આવેલી જામીયા મસ્જિદના ઇમામ મકસૂદ ઇમરાને બુધવારે જણાવ્યું કે, ભારતના દરેક નાગરિક માટે પોતાના દસ્તાવેજ વ્યવસ્થિત કરવા જરૂરી છે. તેને જ ધ્યાનમાં રાખીને જામીયા મસ્જિદના માધ્યમથી આ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જેમાં તમામ મુસ્લિમો પોતાના રેકોર્ડ યોગ્ય કરી શકે અને તેના કારણે જામીયા મસ્જિદમાં નાગરિકતા કેન્દ્રની સ્થાપના કરવામાં આવી છે.
NRC નો દક્ષિણ ભારતમાં કોઇ ડર નહીં :
ઇમામ ઇમરાને જો કે દાવો કર્યો હતો કે, આ મુહિમનો NRC સાથે કોઇ જ લેવા દેવા નથી. કારણ કે દક્ષિણ ભારતમાં ઘુસણખોરીનો કોઇ મુદ્દો નથી એટલા માટે NRC ને લઇને ડરવાની કે ચિંતિત થવાની જરૂર નથી.