ભાવનગર: શહેરના ચાવડી ગેટ નજીક મસ્જિદનો સ્લેબ ધરાશયી થઈ જવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં સ્લેબ તૂટી પડતાં 8 લોકો દટાઈ ગયા હતા. ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી હતી. સ્લેબ ખસેડવાની કામગીરી દરમિયાન 4 લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જ્યારે અન્ય એક મૃતદેહ પણ મળી આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે આ મસ્જીદનો સ્લેબ ટૂટતાંની સાથે જ લોકોએ પણ રેસ્ક્યુ હાથ ધર્યું છે. ફાયર વિભાગ દ્વારા ઘટનાસ્થળે પહોંચી દટાયેલા લોકોને બહાર કાઢવાની પ્રક્રિયા હાથ ધરી છે.
લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે ઉમટ્યાં છે. મસ્જીદની નજીકની ઇમારતોને પણ નુકશાન પહોંચ્યું છે.
ફાયર વિભાગ દ્વારા દટાયેલા લોકોને બહાર કાઢવાની પ્રક્રિયા હાથ ધરાઇ