જો તમારા લગ્નમાં કોઈ પ્રકારની મુશ્કેલીઓ આવી રહી છે તો તમે આ દિવસે ભોલેનાથની વિધિ વિધાનથી પુજા કરી દરેક મુશ્કેલીઓને ઓછી કરી શકો છો. માન્યતાઓ અનુસાર શિવરાત્રી વ્રત ખૂબ જ પ્રભાવશાળી છે.
ભોલેનાથની વિધિ વિધાનથી કરો પુજા
માસિક શિવરાત્રિ પર મુશ્કેલીઓ થશે દૂર
લગ્નમાં આવતી અડચણો થશે દૂર
હિંદુ ધર્મમાં શિવ અને શક્તિના મિલનનું પ્રતિક માસિક શિવરાત્રીનું વ્રત ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. માસિક શિવરાત્રી દર મહિને કૃષ્ણ પક્ષની ચતુર્થીએ ઉજવવામાં આવે છે. માસિક શિવરાત્રી દર મહિનામાં એક વખત આવે છે અને મહાશિવરાત્રિ વર્ષમાં એક વખત ઉજવવામાં આવે છે.
હિંદુ પંચાંગ અનુસાર માઘ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થીએ વર્ષ 2023ની પહેલી માસિક શિવરાત્રી આવશે. આ મહિનાની માસિક શિવરાત્રી 20 માર્ચ સોમવારે છે. સોમવારનો દિવસ હોવાના કારણે તેનું મહત્વ વધી જાય છે. આ આર્ટિકલમાં જાણીએ માસિક શિવરાત્રીનું મહત્વ અને વ્રતની વિધિ.
મળે છે અખંડ સૌભાગ્યનું વરદાન
ધાર્મિક માન્યતાઓ અનુસાર માસિક શિવરાત્રીના વ્રતમાં વિધિ વિધાનથી રાત્રીના સમયે શંકર અને દેવી પાર્વતીની પુજા કરનારને અખંડ સૌભાગ્ય, સુયોગ્ય વર અને ધન-સમૃદ્ધિનું વરદાન મળે છે. આવો જાણીએ વર્ષ 2023ની પહેલી માસિક શિવરાત્રીની તારીખ, મુહૂર્ત અને પૂજા વિધિ.
શિવરાત્રીનું શુભ મુહૂર્ત
માસિક શિવરાત્રી તારીખ-20 માર્ચ
શુભ મુહૂર્ત સવારે 6.25 થી સાંજે 7.56 સુધી.
ત્યાર બાદ રાત્રે 9.27 થી 10.58 સુધી
સાંજે 5.1થી 6.32 સુધી.
નિશિથ કાળના લોકો માટે શુભ મુહૂર્ત
જે લોકો નિશિથ કાળની પૂજા કરે છે તેમના માટે રાત્રે 10.59 મિનિટથી રાત્રે 12.28 મિનિટ સુધી પૂજાનું શુભ મુહૂર્ત રહશે.
મધ્યરાત્રીનો સમય ઉત્તમ
તમને જણાવી દઈએ કે શિવરાત્રીના પૂજનનો ઉત્તમ સમય મધ્ય રાત્રીનો સમય હોય છે. ભગવાન શિવજીની પૂજા રાત્રે 12 વાગ્યા બાદ કરવી ઉત્તમ ફળદાયી રહે છે. તેની સાથે જ હનુમાન ચાલીસાનો પાઠ પણ કરો આમ કરવાતી તમારી આર્થિક મુશ્કેલીઓ જૂર થઈ જશે.
શું છે માસિક શિવરાત્રીનું મહત્વ?
પૌરાણિક કથાઓ અને માન્યતાઓ અનુસાર ચતુર્દશી તિથિના દિવસે ભગવાન શિવ શિવલિંગના રૂપમાં પ્રકટ થયા હતા. શાસ્ત્રોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સૌથી પહેલા ભગવાન વિષ્ણુ અને બ્રહ્માજીનીએ તેમની પૂજા કરી હતી. ત્યાર બાદથી આ દિવસને ભગવાન શિવના જન્મદિવસના રૂપમાં ઉજવવામાં આવે છે.
આ વ્રતનો ઉલ્લેખ ઘણા પુરાણોમાં કરવામાં આવ્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે આ વ્રતને માતા લક્ષ્મી, માતા સરસ્વતી, ગાયત્રી અને સીતા માતા અને પાર્વતી માતા સહિત ઘણી દેવીઓએ કર્યું હતું. એવી માન્યતા છે કે આ વ્રતને કરવાથી વ્યક્તિના જીવનમાં સુખ-શાંતિ મળે છે.
માસિક શિવરાત્રીની પૂજા વિધિ
માસિક શિવરાત્રીના દિવસે સવારે સૂર્યોદય પહેલા ઉઠી. સ્નાન કરી સ્વચ્છ કપડા પહેલી ભગવાનનું ધ્યાન કરો. ભગવાન શિવના મંદિર અથવા ઘરના જ મંદિરમાં ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરો. આ દિવસે સૌથી પહેલા શિવલિંગનું અભિષેક કરો.
ત્યાર બાદ જળ, શુદ્ધ ઘી, દૂધ, સાકર, દહીં વગેરેથી અભિષેક કરો. એવું કહેવામાં આવે છે કે રૂદ્રાભિષેક કરવાથી ભગવાન શિવ જલ્દી ખુશ થઈ જાય છે. ભોલેનાથને બિલિપત્ર, ધતુરા, શ્રીફળ ચડાવો. ત્યાર બાદ શિવ પૂજા કરતી વખતે શિવ પુરાણ, શિવ સ્તુતિ, શિવ અષ્ટક, શિવ ચાલીસા અને શિવ શ્લોકનો પાઠ કરો. અંતમાં આરતી કરો.
વ્રત કરનાર સાંજે કરે ફળાહાર
જો તમે માસિક શિવરાત્રીનું વ્રત કરી રહ્યા છો અને સાંજે ફળાહાર કરો છો તો આ વાતનું ધ્યાન રાખો કે શિવરાત્રીના વ્રતમાં અન્ન ગ્રહણ ન કરવું જોઈએ.
કુંવારી કન્યાઓને વ્રતથી મળશે ઈચ્છા અનુસાર વર
માન્યતા છે કે ચતુર્દશી તિથિ પર માતા પાર્વતીએ ભગવાન ભોલેનાથને પતિના રૂપમાં પામ્યા હતા. આ વ્રતના પ્રભાવથી કુંવારી કન્યાઓને વધારે સારો જીવનસાથે પ્રાપ્ત થાય છે. વિવાહિતને સુહાગણ રહેવાનું વરદાન મળે છે.