કાલાષ્ટમી વ્રત દર મહિને રાખવામાં આવે છે. આ દર મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમીએ રાખે છે અને આ દિવસે કાળ ભૈરવની પૂજા કરવામાં આવે છે. ભગવાન શિવના આ રૂદ્રાવતાર કાળ ભૈરવની ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં પૂજા કરવામાં આવે છે.
કાલાષ્ટમીના દિવસે કરો કાળ ભૈરવની પૂજા
કાળ ભૈરવને પ્રસન્ન કરવા માટે કરો આ સરળ ઉપાય
જીવનની તમામ સમસ્યાઓ થશે દૂર
કાલાષ્ટમી વ્રત 2022 તિથિ
આ વખતે માસિક કાલાષ્ટમી વ્રત 20 જૂન, 2022 સોમવારે રાખવામાં આવશે. અષાઢ મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિ 20 જૂન, સોમવારે રાત્રે 9.01 વાગ્યાથી શરૂ થશે અને 21 જૂન મંગળવારની રાત્રે 8.30 વાગ્યે સમાપ્ત થશે. કારણકે કાળ ભૈરવની પૂજા રાત્રે કરવામાં આવે છે. તેથી આ વ્રત સોમવારે અષ્ટમી તિથિ પ્રારંભના દિવસે માનવામાં આવશે. સામાન્ય રીતે વ્રત તહેવાર ઉદય તિથિના દિવસે માનવામાં આવે છે.
કાલાષ્ટમીના દિવસે કરો આ ઉપાય
કાલાષ્ટમીના દિવસે કાળ ભૈરવને પ્રસન્ન કરવા માટે અમુક સરળ ઉપાય કરી શકાય છે, જે જીવનની તમામ સમસ્યાઓને દૂર કરી શકે છે. આ સાથે જીવનમાં સુખ-સમૃદ્ધી લાવે છે. જાણીએ એવા ઉપાય જેને આજે રાત્રે કરવાથી ખૂબ લાભ આપશે.
ધન પ્રાપ્તિનો ઉપાય
જે લોકો પૈસાની તંગીથી ઝઝૂમી રહ્યાં છે અથવા ઘણા બધા પૈસા મેળવવા માગે છે, તેઓ આજે કાલાષ્ટમીના દિવસે એક સરળ ઉપાય કરે. આજે શમીનો છોડ લગાવો અને તેની સેવા કરો. જેનાથી તમારી આવક ઝડપથી વધશે.