જમ્મૂ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપનાર આર્ટિકલ-370ને હટાવવાના પ્રસ્તાવિત બિલને રાજ્યસભામાં મંજૂરી આપી દેવામાં આવી છે. રાજ્યસભામાં સોમવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જમ્મૂ-કાશ્મીર પૂનર્ગઠન બિલ રજૂ કર્યું, જે એક લાંબી ચર્ચા બાદ પસાર થઇ ગયું હતું.
જો કે આ બિલને લઇને પાકિસ્તાનના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. પાકિસ્તાનમાં વિપક્ષે પીએમ ઇમરાન ખાનને આડે હાથ લેતાં વિરોધ કર્યો હતો. પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાજ શરીફના દીકરી મરિયમ નવાજે ઇમરાન ખાન પર આકરા પ્રહાર કર્યાં હતા.
મરિયમ નવાજે જણાવ્યું હતુંકે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કાશ્મીરના મુદ્દે મધ્યસ્થતાને લઇને ઇમરાન ખાનને મૂર્ખ બનાવ્યાં. મરિયમ નવાજે કહ્યું કે ઇમરાન ખાન અનુમાન લગાવામાં બિલકુલ નિષ્ફળ રહ્યાં છે.
પાકિસ્તાનના વિદેશ મંત્રીએ આપ્યૂં આ નિવેદન
પાકિસ્તાનના વિદેશ મંત્રીએ 370 સંબંધિત ભારતની કાર્યવાહીને ગેરકાયદે ગણાવી હતી. 370 કલમ હટવાથી ક્ષેત્રિય સુરક્ષા અને શાંતિને ખતરો છે. પાકિસ્તાનના વિદેશ મંત્રીએ કહ્યું કે મોદી સરકારથી આટલા મોટો પગલાની આશા ન હતી.
કશ્મીરમાં કલમ 370 નાબૂદ કર્યા બાદ પાકિસ્તાનમાં ખલબલી મચી ગઇ છે. પાકિસ્તાનની સરકાર અને ત્યાંની રાજકીય પાર્ટીઓમાં બોખલાહટ છે. પાકિસ્તાનની વિપક્ષી પાર્ટીઓએ ઇમરાન ખાનને આડે હાથ લીધા અને આકરા પ્રહાર કર્યા હતા.
પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફના દીકરી મરિયમ નવાઝે ઇમરાન ખાનને મૂર્ખ ગણાવી દીધા. મરિયમ નવાઝે કહ્યું કે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કાશ્મીરના મુદ્દા પર મધ્સ્થતાની વાત પર મૂર્ખ બનાવ્યા છે. ઇમરાન ખાન પણ અનુમાન ન લગાવી શક્યા કે ભારત કઇ યોજના બનાવી કહ્યું છે.