મારૂતિએ ગુરૂવારનાં આજનાં રોજ એક મોટી જાહેરાત કરી છે. મારૂતિનું કહેવું છે કે તેઓ આગામી વર્ષથી ડિઝલ કારોનું ઉત્પાદન બંધ કરી રહેલ છે. આગામી વર્ષથી નવા બીએસ-6 ધોરણો લાગુ જવા થઇ રહ્યાં છે પરંતુ તે પહેલાં મારૂતિ ડીઝલ કારોનું ઉત્પાદન બંધ કરી દેશે.
મારૂતિ સુઝુકીએ ગુરૂવારનાં રોજ 2018-19ની ચોથાં ક્વાર્ટરનાં પરિણામોનું એલાન કરતા કહ્યું કે, તેઓ આગામી વર્ષનાં 1 એપ્રિલ 2020થી ડીઝલ કારોને બનાવવાનું બંધ કરી દેશે. મારૂતિનાં ચેરપર્સન આર સી ભાર્ગવે એક ખાનગી ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે તેઓ 1500 સીસીથી નીચેની કારોમાં ડીઝલ એન્જીન નહીં આપે. તેઓએ જણાવ્યું કે, 1500 સીસી એન્જીનથી નીચેની કારોમાં ડીઝલ એન્જીનનું કોઇ જ ભવિષ્ય નથી.
જો કે ભાર્ગવે એમ પણ કહ્યું કે, જો આ સેગમેંટમાં માંગ બની રહેશે ત્યારે જ મારૂતિ ડીઝલ એન્જીનું ઉત્પાદન શરૂ રાખશે. મારૂતિ દર વર્ષે 4,50,00 ડીઝલ કારો વેચે છે, જે તેનાં વાર્ષિક વેચાણનાં 30 ટકા છે. એવું માનવામાં આવી રહ્યું છે કે મારૂતિ ડીઝલ કારોને બદલે પેટ્રોલ અને સીએનજી કારો પર ફોકસ કરશે. ત્યારે મારૂતિ કેટલાંક નવા મોડલ્સને સીએનજી વેરિયન્ટ સાથે લોન્ચ કરશે.