મંદીનાં મારથી ઝઝૂમતી દેશની સૌથી મોટી વાહન નિર્માતા કંપની મારૂતિ સુઝુકીએ સપ્ટેમ્બરમાં બે દિવસ સુધી પોતાનો પ્લાન્ટ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. મારૂતિએ આ બે દિવસોને 'નો પ્રોડક્શન ડે' તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો છે. મારૂતિનાં વેચાણમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. ઓગસ્ટમાં મારૂતિની કારોનાં વેચાણમાં 35.9 ટકાનો ઘટાડો થયો છે. ગયા મહીને મારૂતિની 94,728 કારોનું વેચાણ થયું હતું.
મારૂતિની નાની-મોટી તમામ કારોનાં પ્રોડક્શનમાં ઘટાડો
ઓછાં વેચાણને ધ્યાને રાખતા મારૂતિ (Maruti Suzuki) સતત પોતાની કારોનું પ્રોડક્શન ઓછું કરી રહી છે. આંકડો અનુસાર મારૂતિએ અલ્ટો, વૈગન આર, સિલેરિયો, ઇગ્નિસ, સ્વિફ્ટ, બલેનો અને ડિઝાયરનું માત્ર 80,909 યૂનિટનું જ નિર્માણ કર્યુ, જ્યારે ગયા વર્ષે ઓગસ્ટમાં 1,22,824 યૂનિટ બનાવ્યાં હતાં. ઉપરાંત યૂટિલિટી વ્હીકલ્સ જેવાં કે વિટારા બ્રેજા, અર્ટિગા, એસ-ક્રૉસનું પણ માત્ર 15,099 યૂનિટનું નિર્માણ થયું, જ્યારે ગયા વર્ષે આ માસમાં 23,176 યૂનિટ બનાવવામાં આવ્યું હતું. આ સિવાય સેડાન કાર સિયાજનું માત્ર 2,285 યૂનિટ જ બન્યું. આ સાથે ગયા વર્ષે ઓગસ્ટમાં 6,149 યૂનિટનું પ્રોડક્શન થયું હતું.
ગુરૂગ્રામ અને માનેસર પ્લાન્ટ બે દિવસ રહેશે બંધ
મારૂતિએ હવે યાત્રી વાહનોનાં પ્રોડક્શનને ઘટાડવાનો નિર્ણય કર્યો છે. મારૂતિએ જાહેરાત કરી છે કે તેનાં ગુરૂગ્રામ અને માનેસર પ્લાન્ટ આગામી 7 અને 9 સપ્ટેમ્બરનાં રોજ બંધ રહેશે. આ દિવસોમાં કોઇ પણ ગાડીનું નિર્માણ પણ નહીં કરવામાં આવે. માનેસર પ્લાન્ટને પહેલા પણ બંધ કરવામાં આવી ચૂકેલ છે. આ પ્લાન્ટની આગામી ક્ષમતા 7,50,000 યૂનિટની છે. બીજી બાજુ અહીં અર્ટિગા, વેગન-આર, સ્વિફ્ટ, ડિઝાયર અને બલેનો કારોનું નિર્માણ કરવામાં આવે છે.
બહાર કરી ચૂકી છે 3 હજાર કર્મચારી
મારૂતિએ આ નિર્ણય ઉત્પાદન ક્ષમતાને નિયંત્રિત કરવા માટે લીધો છે. આ માટે તે સમય સમય પર પ્લાન્ટને બંધ કરતા રહે છે. ઓગસ્ટમાં ઓણમ અને ગણેશચતુર્થી તહેવારોનાં ઠીક એક મહીના પહેલા, ઓછામાં ઓછાં ત્રણ દિવસો સુધી શટડાઉન થયું હતું.
તમામ કંપનીઓ કરી રહી છે ઓછું પ્રોડક્શન
ઑટોમોબાઇલ કંપનીઓ પાસે લગભગ 5 લાખથી વધારે પેસેન્જર વ્હીકલ્સ સ્ટૉકમાં છે. જૂનથી જ આ વાહન ડીલરો પાસે વેચાણ માટે ઊભાં છે. ત્યારે તેમાં ટૂ-વ્હીલર્સની સંખ્યા સૌથી વધારે છે.