મારૂતિ સુઝુકી દેશમાં પોતાનું ઈલેકટ્રીક વાહન 2025 પહેલા લાવી શકે છે. કંપનીના ચેરમેન આરસી ભાર્ગવે એક નિવેદનમાં કહ્યું કે અત્યારે દેશમાં ઈલેકટ્રીક વાહનોની માંગ ઓછી છે. મારૂતિએ કહ્યું અમે જ્યારે પણ ઈલેકટ્રીક મોબિલિટી સ્પેશમાં પ્રવેશ કરીશું ત્યારે કંપની દર મહિને લગભગ 10,000 યુનિટ વેચવાની ઈચ્છા ધરાવે છે.
મારૂતિ સુઝુકીના ચેરમેન આરસી ભાર્ગવનું નિવેદન
અમે વહેલી તકે ઈલેકટ્રીક વ્હીકલ લોન્ચ કરીશું
2025 પહેલાં અમે ઈલેકટ્રીક વાહન લોન્ચ કરીશું
ખર્ચ અમારા હાથમાં નથી
કંપનીના બીજા ત્રિમાસિક ગાળાના પરિણામોની જાહેરાત કરતા એક વર્ચ્યુઅલ સંમેલનમાં ચેરમેને કહ્યું કે વર્તમાન પરિસ્થિતિ ઈલેકટ્રીક વ્હીકલના ઈકો સિસ્ટમમાં ઘણી બધી ચીજ વસ્તુઓ જેવી કે બેટરી, ચાર્જિગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વિજ પુરવઠો અન્ય પાર્ટીઓ દ્વારા કરવામાં આવે છે. જેથી તેનો ખર્ચ અમારા હાથમાં નથી.
2025 પહેલા શક્ય
ચેરમેન આરસી ભાર્ગવે કહ્યું કે અમે ક્યારેય પણ કોમર્શિયલ ઈલેકટ્રીક વ્હીકલ લઈને આવવાની યોજનાની જાહેરાત કરી નથી. મને ખબર નથી કે અમે ક્યારે એક ઈલેકટ્રીક વ્હીકલ લોન્ચ કરીશું. પરંતુ આ 2025 પહેલા શક્ય છે.
સીએનજી મૉડલ પર ધ્યાન
આ ઉપરાંત ફ્યુલની કિંમતમાં વધારાની સાથે કાર માર્કેટના લીડર મારૂતિ સુઝુકી ઈન્ડિયા પોતાના સીએનજી મોડલ પર વધુ ધ્યાન આપી રહી છે. તેમણે કહ્યું કે જો અમે મહિનાના 300, 400 અથવા 500 ત્યાં સુધી 1000 ઈલેકટ્રીક વાહનો વેચવા હશે તો અમને આનંદ થશે. અમે વોલ્યુમમાં ખૂબ આગળ વધી ગયા છે અને 1000 વ્હીકલ સુધી અમારો ઉત્સાહ ઓછો થશે નહીં. તેથી જો અમારે ઈલેકટ્રીક વ્હીકલ વાહન વેચવા હશે તો 1 મહિનામાં કદાચ 10 હજાર ઈવી વેચવા પડશે.