ભારતની સૌથી મોટી કાર કંપની મારુતિ સુઝુકીએ શુક્રવારે અહેવાલ આપ્યો હતો કે તેમણે ગયા મહિને વિક્રમજનક કહી શકાય તેવી રીતે 0 વાહનોનું સેલ નોંધાવ્યું હતું. મારુતિ સુઝુકી કંપનીના ઇતિહાસમાં પ્રથમ વખત આ ઘટના બની છે કે સ્થાનિક રીતે કંપનીએ આખા મહિનામાં એક પણ વાહન વેચ્યા ન હોય.
22 માર્ચ 2020થી મારુતિએ વાહનોનું પ્રોડક્શન સંપૂર્ણપણે બંધ કરી દીધું છે
મારુતિએ નિવેદન આપ્યું: પોતાના કર્મચારીઓ, બિઝનેસ પાર્ટનર અને ગ્રાહકોની સુરક્ષાને પ્રાથમિકતા આપશે
કંપનીએ જણાવ્યું કે કોરોના સંકટના પગલે સરકારની ગાઈડલાઇન્સનું પાલન કરતા કંપનીનું એક પણ પ્રોડક્શન યુનિટ ચાલુ ન હતું. નોંધનીય છે કે કોરોના વાયરસ મહામારીનું સંક્રમણ રોકવા માટે દેશ છેલ્લા કેટલાય દિવસોથી સજ્જડ લોકડાઉનમાં છે. આ કારણોસર દેશના અલગ અલગ બિઝનેસને મરણતોલ ફટકા પડી રહ્યા છે.
લોકડઉન લાગુ પડતા દેશમાં ઓટો સેક્ટરની માંગ નહિવત થઇ ગઈ છે
કંપનીએ જણાવ્યું હતું કે દેશમાં આ પહેલા પણ વાહનોની ડિમાન્ડમાં ભારે ઘટાડો થયો હતો. એવામાં લોકડઉન લાગુ પડતા દેશમાં ઓટો સેક્ટરની માંગ નહિવત થઇ જતા કંપનીઓએ તેમનું ઉત્પાદન ઘટાડવાની ફરજ પડી છે.
22 માર્ચ 2020થી મારુતિએ વાહનોનું પ્રોડક્શન સંપૂર્ણપણે બંધ કરી દીધું છે
માર્ચ 2020માં મારુતિના ડોમેસ્ટિક સેલમાં 47.9%નો ઘટાડો થયો હતો અને 76976 વાહનો થયા હતા. જો કે કંપનીનું કહેવું છે કે આ સમયે તેઓ સરકારની ગાઈડલાઇન્સ પાળતા હતા આથી આ આંકડાને માર્ચ 2019 સાથે સરખાવવો અયોગ્ય છે. એપ્રિલ 2019માં મારુતિએ સ્થાનિક અને એકપૉર્ટ કરેલા એમ કુલ 1,43,245 વાહનોનું વેચાણ નોંધાવ્યું હતું. જો કે ત્યાર બાદ 22 માર્ચ 2020થી મારુતિએ વાહનોનું પ્રોડક્શન સંપૂર્ણપણે બંધ કરી દીધું છે.
મારુતિના શેરના ભાવમાં 27.24%નો ઘટાડો
નોંધનીય છે કે મારુતિના શેરના ભાવમાં આ વર્ષે તોતિંગ 27.24%નો ઘટાડો નોંધાયો છે. આમ છતાં મારુતિએ નિવેદન આપ્યું છે કે આ મુશ્કેલીના સમયમાં તેઓ સરકારની ગાઈડલાઇન્સનું પાલન કરશે અને પોતાના કર્મચારીઓ, બિઝનેસ પાર્ટનર અને ગ્રાહકોની સુરક્ષાને પ્રાથમિકતા આપશે.
સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઇલ મેન્યુફ્રેક્ચરર્સ SIAMએ જાહેર કરેલા ડેટા પ્રમાણે માર્ચમાં દેશમાં વાહનોના વેચાણમાં 51%નું ગાબડું પડી ગયું હતું. એપ્રિલમાં આ ખાડો વધુ ઊંડો હશે તેવી આશંકા છે.