દેશની દિગ્ગજ ઓટોમોબાઇલ કંપની મારુતિ સુઝુકીએ શુક્રવારે 60,000થી વધારે ગાડીઓને રિકોલ (પાછી ખેંચવાની) કરવાની જાહેરાત કરી છે. મારુતિ પોતાની સિયાઝ ( Ciaz), અર્ટિગા અને XL6 ના પેટ્રોલ સ્માર્ટ હાઇબ્રિડ (SHVS) વેરિએન્ટ્સની 63,493 યૂનિટ્સને રિકોલ કરી રહી છે.
મારુતિની કારની મોટર જનરેટર યૂનિટમાં સંભવતિ ખામીને દૂર કરવા માટે તેની તપાસ કરશે
કંપનીએ ઓગસ્ટમાં ફ્યૂલ હોઝમાં સંભવિત ખામી જોતા 40,618 Wagon R પાછી ખેંચી હતી
સિયાઝ, અર્ટિગા અને XL6ના પેટ્રોલ સ્માર્ટ હાઇબ્રિડ વેરિએન્ટ્સના જે યૂનિટ્સને રિકોલ કરવામાં આવી રહ્યા છે, તેમની મેન્યુફેક્ચરિંગ 1 જાન્યુઆરી 2019થી 21 નવેમ્બર 2019ની વચ્ચેની છે. મારુતિ આ કારની મોટર જનરેટર યૂનિટ (MGU)માં સંભવતિ ખામીને દૂર કરવા માટે તેની તપાસ કરશે.
ખરાબ પાર્ટ્સનું ફ્રીમાં કરવામાં આવશે રિપ્લેસમેન્ટ
કંપનીનું કહેવું છે કે, મોટર જનરેટર યૂનિટ (MGU) માં સંભવિત ખામી એક ઓવરસીજ ગ્લોબલ પાર્ટ સપ્લાયર દ્વારા કરવામાં આવેલી મેન્યુફેક્ચરિંગ દરમિયાન આવી હોય શકે છે. મારુતિએ કહ્યું કે આ વોલન્ટરી રિકોલ છે અને 6 ડિસેમ્બર 2019થી શરૂ થઇ છે.
મારુતિએ કહ્યું કે આ રિકોલથી પ્રભાવિત ઓનર્સનો કંપનીના ડિલર સંપર્ક કરશે. કંપનીએ કહ્યું છે કે જો પ્રભાવિત પાર્ટ્સને રિપ્લેસ કરવા માટે કારને રાખવાની જરુર પડી તો મારુતિ સુઝુકી ડીલરશિપ્સ ઓનર્સને વૈકલ્પિક વ્હીકલ્સ ઓફર કરવાની કોશિશ કરશે. કંપનીએ કહ્યું છે કે ખરાબ પાર્ટ્સનું રિપ્લેસમેન્ટ ફ્રીમાં કરવામાં આવશે.
ઓગસ્ટમાં રિકોલ કરી હતી 40,618 Wagon R
મારુતિએ એક નિવેદનમાં કહ્યું છે, અમારા ગ્રાહકોના હિતોને ધ્યાનમાં રાખતા મારુતિ સુઝુકીએ વ્હીકલ્સની તપાસ માટે ગાડીઓને રિકોલ કરી છે. રિકોલ કરવામાં આવેલી ગાડીઓમાંથી જે ગાડીઓ ઠીક હશે, તેને તાત્કાલિક રિલીઝ કરવામાં આવશે. કંપનીએ આ વર્ષે ઓગસ્ટમાં ફ્યૂલ હોઝમાં સંભવિત ખામી જોતા 40,618 Wagon R (1.0 લીટર)ને રિકોલ કરવામાં આવી હતી.