દેશની સૌથી મોટી વાહન નિર્માતા કંપની મારૂતિ સુઝુકીએ તાજેતરમાં પોતાની ઈકો કારના એમ્બ્ચુલન્સ વર્ઝનની કિંમતોમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. કંપનીએ બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઈ)ની સાથે એક નિયામક ફાઈલિંગ દ્વારા તેની જાહેરાત કરી છે. મારૂતિ સુઝુકી ઈકો કારની નવી કિંમતોમાં સુધારો કરવામાં આવ્યો છે, જેમાં 28 ટકાથી 12 ટકા કરવામાં આવી છે.
શું છે નવી કિંમત
મારૂતિ સુઝુકીએ જીએસટીના દરમાં ઘટાડો કર્યા બાદ ઈકો એમ્બ્યુલન્સની કિંમતમાં 88,000 રૂપિયાનો ઘટાડો કર્યો છે. ત્યારબાદ હવે મારૂતિ ઈકો એમ્બ્યુલન્સની દિલ્હીમાં એક્સ શો-રૂમ કિંમત 6.16 લાખ રૂપિયા થઈ છે.
ક્યા સુધી કિંમતમાં રહેશે ઘટાડો
જીએસટી પરિષદની 44મી બેઠકમાં અમુક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યાં. જેમાં એક નિર્ણય એવો પણ લેવામાં આવ્યો હતો કે હવે એમ્બ્યુલન્સને લક્ઝરી આઈટમની યાદીમાંથી હટાવી દેવામાં આવી છે. જેને પગલે હવે નવી એમ્બ્યુલન્સ ખરીદતી વેળાએ 28 ટકાની જગ્યાએ ફક્ત 12 ટકા જીએસટી ચૂકવવો પડશે. બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે, 30 સપ્ટેમ્બર 2021 સુધી એમ્બ્યુલન્સ પર જીએસટીનો રેટ 12 ટકા જ રહેશે.
ઈકો એમ્બ્યુલન્સની કિંમતમાં 88,000 રૂપિયાનો ઘટાડો
મારૂતિ સુઝુકીએ જણાવ્યું કે, નાણાંકીય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નવા સુધારા મુજબ ઈકો એમ્બ્યુલન્સની કિંમતમાં 88,000 રૂપિયાનો ઘટાડો કર્યો છે. એમએસઆઈએ એક નિયામક ફાઈલિંગમાં કહ્યું, ઈસી મુજબ, ઈકો એમ્બ્યુલન્સની એક્સ શો-રૂમ કિંમતમાં ઘટાડો થશે અને દિલ્હીમાં લાગુ કરાયેલી નવી કિંમત 6,16,875 રૂપિયા હશે. જેમાં કહેવામાં આવ્યું છે કે કિંમતમાં આ ફેરફાર કંપની દ્વારા ડીલરોને ઈનવોસ કરેલા વાહનોની સાથે-સાથે ડીલરશિપ દ્વારા ગ્રાહકોને ઈનવોઈસ કરાયેલા વાહનો માટે 14 જૂન, 2021થી અમલી છે