વિકાસ દુબેના મોત બાદ શહીદ થયેલા પોલીસના પરિવારજનોએ આનંદ વ્યક્ત કર્યો છે. પોલીસ અને યોગી સરકારને ધન્યવાદ આપતાં તેઓએ કહ્યું કે આજે અમને ન્યાય મળ્યો છે. તેઓએ કહ્યું કે વિકાસ દુબેના મોતના સમાચારથી અમને આનંદ થયો છે. યોગી સરકાર અને યૂપી પોલીસ ધન્યવાદને પાત્ર છે. તેમના પ્રયાસોથી જ આ અપરાધી ઠાર મરાયો છે.
કાનપુર હત્યાકાંડનો સૂત્રધાર વિકાસ દુબે થયો ઠાર
શહીદના પરિવારજનોએ વ્યક્ત કર્યો આનંદ
યોગી સરકાર અને યૂપી પોલીસને પાઠવ્યા ધન્યવાદ
I am very proud of UP Police. Whatever they have done today has brought solace to my soul. I thank the administration & Yogi govt: Tirath Pal, father of constable Jitendra Pal Singh who lost his life in an encounter at Bikru village in Kanpur on July 3#vikasDubeyEncounterhttps://t.co/fRaeVgBM36pic.twitter.com/1KrSj2bmGY
શહીદ જિતેન્દ્રના પિતાએ કહ્યું કે વિકાસ દુબેના મોત બાદ અમારા દીકરાની શહાદત સિદ્ધ થઈ છે. તેના શહીદ થવા પર ગર્વ છે. હવે હું કહીશ કે મને મારા દીકરાના શહીદ થવા પર ગર્વ છે. તેની શહાદત એળે નથી ગઈ. શહીદની માતાએ કહ્યું કે વિકાસના મોતના સમાચાર સાંભળીને મનને શાંતિ મળી છે.
I'm satisfied. But now how will it come into fore as to who were backing him (Vikas Dubey)? It could have been unraveled by questioning him: Urmila Verma, wife of constable Sultan Singh who lost his life in an encounter at Kanpur's Bikru village on July 3#vikasDubeyEncounterpic.twitter.com/Y1jCFHPO1X
ઔરૈયા જિલ્લાના શહીદ રાહુલના પિતાએ વ્યક્ત કર્યો સંતોષ
શહીદ થયેલા રાહુલના પિતા ઓમકુમારે વિકાસ દુબેના એન્કાઉન્ટર પર સંતોષ વ્યક્ત કર્યો છે.રાહુલે પરિવારને કહ્યું અમને સંતોષ છે. જે પણ થયું સારું થયું છે. અમે સરકાર અને પોલીસ પર વિશ્વાસ રાખીએ છીએ. આ થવું જ જોઈતું હતું. કામમાં સમય લાગતો હોય છે. શહીદ રાહુલની બહેન નંદિનીએ કહ્યું કે આજે મારા ભાઈનું શાંતિ હવન છે. આજના દિવસે મારો ભાઈ શહીદ થયો હતો. આજે વિકાસનું મોત થતાં મારા ભાઈની આત્માને શાંતિ મળશે. અમે આશા રાખીએ છીએ કે હજુ પણ વિકાસના જે સાગરિતો ફરાર હોય તેને કડક સજા મળે.
આ રીતે થયું વિકાસ દુબેનું એન્કાઉન્ટર
ઉલ્લેખનીય છે કે કે કુખ્યાત આરોપી અને કાનપુરના બિકરુ ગામમાં 8 પોલીસકર્મીની હત્યાના કેસનો મુખ્ય સૂત્રધાર વિકાસ દુબે શુક્રવારે સવારે કાનપુરના ભૌતી વિસ્તારમાં પોલીસ એન્કાઉન્ટરમાં મોતને ઘાટ ઉતર્યો છે. પોલીસ અધિકારીઓએ આ જાણકારી આપી હતી. કાનપુરના વરિષ્ઠ પોલીસ દિનેશ કુમારે કહ્યું કે ભારે વરસાદ થી રહ્યો હતો અને પોલીસે ગાડી ફાસ્ટ ચલાવવાની કોશિશ કરી તેના કારણે તે ડિવાઈડર સાથે અથડાઈ અને પલટી ખાઈ ગઈ. તેમાં બેઠેલા 2 પોલીસકર્મી ઘાયલ થયા અને સ્થિતિનો ફાયદો લઈને વિકાસે પોલીસની પિસ્તોલ છીનવીને ફાયરિંગ સાથે ભાગવાની કોશિશ કરી. તે થોડે દૂર ભાગ્યો હતો. કુમારે વધુમાં કહ્યું કે તેની પાછળ એસ્કોટ કરી રહેલા જવાનોએ પીછો કર્યો અને તેને પકડવાની કોશિશ કરી. એ સમયે તેણે એસટીએફ પર ગોળી ચલાવી. વળતા જવાબમાં જવાને ગોળી ચલાવી અને તે ઘાયલ થઈને નીચે પડ્યો. જવાનો તેને હોસ્પિટલ લઈ ગયા હતા જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.