3 જૂનનાં રોજ બિહારમાં એક લગ્ન હતાં. સોશિયલ મીડિયામાં આની ખૂબ ચર્ચા પણ થઇ રહી છે. આ લગ્ન શહીદ ગરૂડ કમાન્ડો જ્યોતિ પ્રકાશ નિરાલાની બહેનની હતી. નિરાલા બે વર્ષ પહેલા શહીદ થઇ ગયા હતાં. તેમની શહીદી બાદ ઘરની આર્થિક સ્થિતિ ઠીક ન હોતી. એવામાં બહેનનાં લગ્નની જવાબદારી ઉઠાવી નિરાલાનાં સાથીઓએ. 100 કમાન્ડોએ દાન ભેગુ કર્યુ અને નિરાલાની બહેન શશિકલાની ધૂમધામથી લગ્ન કરાવ્યાં.
3 જૂનનાં રોજ બિહારમાં એક લગ્ન હતાં. સોશિયલ મીડિયામાં આની ખૂબ ચર્ચા પણ થઇ રહી છે. આ લગ્ન શહીદ ગરૂડ કમાન્ડો જ્યોતિ પ્રકાશ નિરાલાની બહેનની હતી. નિરાલા બે વર્ષ પહેલા શહીદ થઇ ગયા હતાં. તેમની શહીદી બાદ ઘરની આર્થિક સ્થિતિ ઠીક ન હોતી. એવામાં બહેનનાં લગ્નની જવાબદારી ઉઠાવી નિરાલાનાં સાથીઓએ. 100 કમાન્ડોએ દાન ભેગુ કર્યુ અને નિરાલાની બહેન શશિકલાની ધૂમધામથી લગ્ન કરાવ્યાં. તેઓ ખુદ લગ્નમાં શામેલ થયાં.
શશિકલાનાં લગ્ન બિહારનાં પાલી રોડ ડેહરીનાં રહેનાર સુજીત કુમાર સાથે થઇ. આ કમાન્ડોએ વિદાઇનાં સમયે વહુનાં પગ જમીન પર ના પડવા દીધાં. જ્યાં-જ્યાં વહુનાં પગ પડતા હતાં, તે પહેલા શહીદનાં મિત્ર જવાનો પોતાની હથેળીને નીચે રાખી મૂકતા. વાયુસેનાનાં ગરૂડ કમાન્ડોનાં હથેળીઓ પર પગ રાખીને શહીદની બહેન વિદા થઇ. શહીદનાં પિતા છે તેજનારાયણ સિંહ. તેઓએ આને પોતાની જિંદગીનો સૌથી યાદગાર સમય જણાવ્યો. કહ્યું કે, નિરાલાનાં સાથીઓએ એક બહેનને તેનાં ભાઇની ઉણપ ના થવા દીધી.
કોણ છે જ્યોતિ પ્રકાશ નિરાલાઃ
18 નવેમ્બર 2017ની વાત છે. જમ્મુ-કશ્મીરનાં બાંદીપોરા જિલ્લાનાં ચંદરનગર ગામમાં કેટલાંક આતંકવાદીઓ છુપ્યા હોવાંની સૂચના મળી હતી. આ આતંકવાદીઓ વિરૂદ્ધ ઓપરેશન ચલાવવાની જવાબદારી રાષ્ટ્રીય રાઇફલ્સની પાસે હતી. રાષ્ટ્રીય રાઇફલ્સની ટુકડીમાં ઇન્ડિયન એરફોર્સનાં ગરૂડ કમાન્ડો પણ હોય છે. ગરૂડ કમાન્ડો વાયુસેનાની એક ટુકડી છે કે જે જમીન પર ચાલી રહેલ ઓપરેશનને અંજામ સુધી પહોંચાડે છે. રાષ્ટ્રીય રાઇફલ્સનાં જવાન અને ગરૂડ કમાન્ડોની ટીમ મોકા પર પહોંચી. આ ટુકડીનું નેતૃત્વ કરી રહ્યાં હતાં જ્યોતિ પ્રકાશ નિરાલા.
જવાનોએ ચારો તરફથી તે ઘરને ઘેરી લીધું હતું કે જ્યાં આતંકવાદી છુપાયા હતાં. નિરાલા તે ઘરની બિલકુલ પાસે ઘાત લગાવીને ઉભા થયા. જવાનોએ આતંકવાદીઓને આત્મસમર્પણ માટે કહ્યું. પરંતુ આતંકીઓએ ગોળી ચલાવી દીધી. સેનાનાં જવાનો તરફથી પણ ફાયરિંગ કરવામાં આવ્યું. છ આતંકવાદીઓ ફાયરિંગ કરતા ઘરમાંથી ભાગવાની કોશિશ કરવા લાગ્યાં.
આતંકીઓની ગોળી જ્યોતિ પ્રકાશ નિરાલાને પણ લાગી ગઇ છે. જ્યોતિ પ્રકાશે પણ ગોળીઓ અને હથગોળોથી આતંકીઓ પર હુમલો કરી દીધો. એકલા જ ત્રણ આતંકીઓને ઠાર કરી દીધાં. આ દરમ્યાન આતંકીઓની ગોળી લાગવાનું કારણથી તેઓ શહીદ થઇ ગયા. શ્રીનગરમાં આ ઓપરેશન દરમ્યાન સેના તરફથી કરવામાં આવેલ કાર્યવાહીમાં આતંકી મસૂદ અઝહરનો ભત્રીજો તલ્હા રશીદ પણ ઠાર થઇ ગયો.