લદ્દાખની ગલવાન ઘાટીમાં ચીનના સૈનિકો સાથેની હિંસક અથડામણમાં શહીદ થયેલા ભારત માતાના બહાદુર પુત્ર વૈશાલીના શહીદ જય કિશોર સિંહના આજે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. તેમનો મૃતદેહ આજે જંદાહા પોલીસ સ્ટેશન વિસ્તારના તેમના પૈતૃક ગામ ચકફતેહ પહોંચ્યો હતો. જ્યાં તેમને ગાર્ડ ઓફ ઓનર આપીને અંતિમ વિદાય આપવામાં આવી હતી.
વૈશાલીના શહીદ જય કિશોર સિંહના આજે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા
જય કિશોર અમર રહે અને ભારત માતા કી જયના નારા ગૂંજી ઉઠ્યા હતા
શ્રમ સંસાધન પ્રધાન વિજય સિંહા પણ શહીદની અંતિમ વિધિ માટે પહોંચ્યા હતા.
#WATCH Bihar: People chant 'Bharat Mata ki jai' & 'Jai Kishor amar rahe' at Sepoy Jai Kishor Singh's residence at his native place in Vaishali's Chak Fateh village, as his mortal remains are being taken for last rites. He lost his life in action in #GalwanValley on June 15-16. pic.twitter.com/3FaWd1P4sC
શુક્રવારે વહેલી સવારે લશ્કરી અધિકારી અને વહીવટી અધિકારી તેમના મૃતદેહ સાથે જંદાહા તેમના પૂર્વજોના ઘરે પહોંચ્યા. જેવી શહીદ જય કિશોરની ડેડબોડી તેના પૂર્વજ ગામમાં પહોંચી ત્યારે લોકોના ટોળાએ આ વીરના અંતિમ દર્શન માટે ઉમટ્યા. ગામ લોકો તેમજ પરિવારના સભ્યોની આંખો ભીની હતી. ભારત માતા કી જય ના નારા સાથે આખું ગામ ગુંજી ઉઠ્યું હતું. લોકો જય કિશોરસિંહ અમર રહેના નારા લગાવી રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે આજે તેનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો. ચીન સામે આક્રોશ પણ હતો. શહીદ જવાન જય કિશોરની અંતિમ વિદાઇમાં જય કિશોર અમર રહે અને ભારત માતા કી જયના નારા ગૂંજી ઉઠ્યા હતા.
Bihar: Family of Sepoy Jai Kishor Singh pay tribute to him and people gather at his residence, where his mortal remains have been brought. He lost his life in action in #GalwanValley of Ladakh on June 15-16. pic.twitter.com/CFq5npV5Ji
અંતિમ સંસ્કાર માટે વહીવટી તંત્રે તમામ તૈયારીઓ કરી લીધી છે
આજે અંતિમ સંસ્કાર માટે વહીવટી તંત્રે તમામ તૈયારીઓ કરી લીધી હતી. શુક્રવારે તેમને મહાનગરના હસનપુર ત્રણ મુખી ઘાટ પર ગંગા નદીના કાંઠે અંતિમ વિદાય આપવામાં આવી હતી. મહનાર એસડીએમ મનોજ પ્રિયદર્શીના નેતૃત્વમાં બીડીઓ ડો.સુદર્શન, સીઓ શિવ શંકર ગુપ્તા, સિટી કાઉન્સિલના એક્ઝિક્યુટિવ ઓફિસર જગન્નાથ યાદવ અને અન્ય અધિકારીઓ અને કર્મચારીઓએ ગુરુવારે આખી વ્યવસ્તાનું નિરિક્ષણ કર્યું હતુ.
वैशाली: भारत-चीन के बीच गलवान घाटी में हुई झड़प में जान गंवाने वाले सिपाही जय किशोर सिंह को गार्ड ऑफ ऑनर दिया गया। #Biharpic.twitter.com/ggyqhe9NTQ
વૈશાલીના ડીએમ અને એસપી ગણિનાથ ઘાટ પર હતા. ધારાસભ્ય ઉમેશસિંહ કુશવાહા, ભૂતપૂર્વ કેન્દ્રીય રાજ્ય પ્રધાન ઉપેન્દ્ર કુશવાહા અને કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનના પ્રતિનિધિ, અવધેશ પ્રસાદસિંહ શહીદના પરિવારના સભ્યોને મળવા આવ્યા હતા. ત્યારે શ્રમ સંસાધન પ્રધાન વિજય સિંહા પણ શહીદ જય કિશોર સિંહની અંતિમ વિધિ માટે મહનારના હસનપુર પહોંચ્યા હતા.