કરનાલઃ જમ્મુ-કશ્મીરમાં પુલવામા જિલ્લામાં સુરક્ષાદળો અને આતંકીઓની વચ્ચે થયેલી અથડામણમાં શહીદ થયેલ જવાન બલજીત સિંહ (35)નાં પાર્થિવ શરીરનું બુધવારનાં 13 ફેબ્રુઆરીનાં રોજ ગામ ડિંગર માજરામાં રાજકીય સમ્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં. ગામમાં લોકોએ ભારતમાતાનાં જયજયકાર સાથે શહીદનાં અંતિમ દર્શન કર્યાં. શહીદનો 3 વર્ષીય પુત્ર અર્ણવે મુખાગ્નિ આપી.
મેજર જનરલનાં નેતૃત્વમાં સેનાની ટુકડી અને જિલ્લા પોલીસનાં જવાનોને સલામી આપી. શહીદનાં પાર્થિવ શરીર પર ધરૌંડાનાં ધારાસભ્ય અને હૈફેડનાં ચેરમેન હરવિંદ્ર કલ્યાણ કરનાલનાં ઉપાયુક્ત ડૉ. આદિત્ય દહિયા પોલીસ અધીક્ષક એસએસ ભૌરિયા ધરૌંડાનાં એસડીએમ મો. ઇમરાન રજાએ પુષ્પ ચક્ર અર્પિત કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.
CM ખટ્ટર બોલે શહીદીને મારા નમનઃ
હરિયાણાનાં મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે ટ્વિટ કરીને કહ્યું કે 'માં ભારતીની સેવામાં કર્તવ્યપથ પર પોતાનું જીવન સમર્પિત કરનાર કરનાલનાં ગામ ડિંગર માજરાનાં હવાલદાર બલજીત સિંહજીને અશ્રુપૂરિત શ્રદ્ઘાંજલિ. આપનાં બલિદાનને અમે ક્યારેય નહીં ભૂલીએ. આપની આ શહીદીને મારા વંદન.'
હજારો લોકોએ શહીદને અંતિમ વિદાય આપી છે. જે સમયે સેના અને પોલીસનાં જવાનોએ હવાઇ ફાયરિંગ કરીને અંતિમ સલામી આપી. તે સમયે ત્યાં ચારે બાજુએ ભારત માતા કી જય શહીદ બલજીત સિંહ અમર રહેવાનાં સૂત્રો ગુંજી રહ્યાં હતાં.
શહીદ બલજીત સિંહ 50 રાષ્ટ્રીય રાઇફલમાં હવાલદારનાં પદ પર તૈનાત હતાં. સેનનાં મેજર જનરલે જણાવ્યું કે સોમવારનાં રોજ 2:30 કલાકે આતંકીઓ છુપાયાં હોવાંની સૂચના મળતા જ રત્નીપુરા વિસ્તારમાં સર્ચ અભિયાન ચલાવવામાં આવ્યું. આતંકી એક ઘર અને સ્કૂલમાં જઇ છુપાયાં. આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું. ફાયરિંગમાં શહીદ બલજીત સિંહે એક આતંકીને ઠાર પણ કરી દીધો હતો.