વાસ્તુ શાસ્ત્ર અનુસાર, વિવાહિત મહિલાઓએ વાયવ્ય કોણ તરફ માથું કરીને ક્યારેય ન સુવું જોઈએ. આમ કરવાથી મળે છે અત્યંત ખરાબ ફળ
વિવાહિત મહિલાઓએ વાયવ્ય કોણ તરફ માથું રાખીને ન સુવું જોઈએ
કુમારિકાઓ આ દિશા તરફ માથું રાખીને સુઈ શકે છે.
જાણો ઉત્તર-પશ્ચિમ દિશાનાં દોષને ક્યા પ્રકારે દૂર કરવો
વિવાહિત મહિલાઓએ વાયવ્ય કોણ તરફ માથું રાખીને ન સુવું
વાસ્તુ શાસ્ત્રમાં ઘરની બધી દિશાઓનું ખાસ મહત્વ હોય છે. પશ્ચિમ અને ઉત્તર વચ્ચેની દિશાને વાયવ્ય કોણ કહેવામાં આવે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર, ઉત્તર-પશ્ચિમ દિશા લાંબી ઉંમર, સારું સ્વાસ્થ્ય અને શક્તિ પ્રદાન કરે છે. ઘરની ઉત્તર-પશ્ચિમ દિશામાં જો કોઈ દોષ હોય, તો મિત્ર પણ શત્રુ બની જાય છે. સાથે જ ઉર્જામાં પણ અછત આવે છે અને આયુષ્ય પણ ઘટે છે. આ દિશા અત્યંત ખાસ માનવામાં આવે છે, પરંતુ છતાં પણ વિવાહિત મહિલાઓને આ દિશામાં સુવાથી ખરાબ ફળો મળે છે. આવામાં જાણો ઉત્તર-પશ્ચિમ દિશા સાથે જોડાયેલ ખાસ બાબતો
વાયવ્ય કોણ સાથે જોડાયેલ વાસ્તુ નિયમ
વાસ્તુ શાસ્ત્ર અનુસાર, ઉત્તર-પશ્ચિમ દિશા એટલે કે વાયવ્ય કોણમાં વિવાહિત મહિલાઓએ ન સુવું જોઈએ. આ દિશામાં સુવાથી વૈવાહિક જીવનમાં તકલીફોનો સામનો કરવો પડે છે. જ્યારે ઉત્તર-પશ્ચિમ દિશામાં કુંવારી કન્યાઓએ સુવું જોઈએ, કેમકે આ દિશામાં વિવાહના યોગ મજબૂત બને છે.
વાસ્તુ શાસ્ત્ર અનુસાર, શૌચાલય માટે દક્ષિણ દિશા દિશા કે પછી વાયવ્ય કોણ ઉપયુક્ત છે. સાથે જ શૌચાલયમાં સીટ એ પ્રકારે હોવી જોઈએ જેથી બેસવાથી મોં ઉત્તર કે દક્ષિણમાં રહે.
જાણો ઉત્તર-પશ્ચિમ દિશાનાં દોષને ક્યા પ્રકારે દૂર કરવો
વાસ્તુ શાસ્ત્ર અનુસાર, બાળકોનાં ભણતર માટે તેમનું સ્ટડી ટેબલ અને ચેર ઇશાન, ઉત્તર કે વાયવ્ય કોણમાં રાખવું શુભ માનવામાં આવે છે. જ્યારે બૂકનાં કબાટને પશ્ચિમ કે દક્ષિણ દિશામાં રાખવાથી શુભ ફળ મળે છે. જોકે ટેબલ લેમ્પ હંમેશા ટેબલની દક્ષિણ-પૂર્વ દિશામાં રાખવો જોઈએ.
વાસ્તુ શાસ્ત્ર અનુસાર, ઉત્તર-પશ્ચિમ દિશાનાં દોષને દૂર કરવા માટે એક્વેરિયમ એક નાનકડો ફુંવારો લગાવવો જોઈએ, જેમાં 8 સોનેરી માછલીઓ અને એક કાળી માછલી રાખવી શુભ માનવામાં આવે છે.