૧૪ ડિસેમ્બરથી કમુરતાં શરૂ થતાં લગ્ન સિઝનને લાગેલી બ્રેક બાદ ફરી હવે નવા વર્ષમાં ૧૬ જાન્યુઆરીથી શરણાઈ ગુંજી ઊઠશે અને ઢોલ ઢબૂકશે. લગ્ન સહિતનાં તમામ શુભ કાર્યો હવે ગણતરીના દિવસોમાં શરૂ થઇ રહ્યાં છે. આ વર્ષે મોટી સંખ્યામાં લગ્ન યોજાયાં છે. ચાલુ માસમાં લગ્નનાં નવ મુહૂર્ત હોઈ આ માસના અંત સુધી પાર્ટી પ્લોટ-હોલ વગેરે હાઉસ ફૂલ થયાં છે.
હવે નવા વર્ષમાં 16 જાન્યુઆરીથી શરણાઈ ગુંજી ઊઠશે
લગ્ન સહિતના તમામ શુભ કાર્યો હવે ગણતરીના દિવસોમાં શરૂ થશે
આ વર્ષમાં લગ્ન માટેનાં કુલ 59 શુભ મુહૂર્ત
તો આ કારણે માંગલિક કાર્યો થઇ શકતા નથી
૧૬ ડિસેમ્બર, ર૦રરના રોજ સૂર્યએ ધન રાશિમાં પ્રવેશ કર્યો છે. સૂર્ય ધન રાશિમાં આવતાં જ ધનુર્માસ શરૂ થઈ ગયો છે, જે હવે પૂર્ણ થવા પર છે. હિંદુ ધર્મ પ્રમાણે ધનુર્માસમાં શુભ અને માંગલિક કાર્યો વર્જિત રહે છે, જેમાં લગ્ન-સગાઈ, મુંડન, ગૃહપ્રવેશ કે ગૃહનિર્માણ જેવાં શુભ કાર્યો થઈ શકતાં નથી. હવે ૧૪ જાન્યુઆરી, ર૦ર૩ના રોજ જ્યારે સૂર્યએ મકર રાશિમાં ગોચર કરતાં જ શુભ અને માંગલિક કાર્યો ફરી શરૂ થઈ જશે. જ્યોતિષીઓ પ્રમાણે ધનુર્માસ પૂર્ણ થયા પછી ૧પ જાન્યુઆરી, ર૦ર૩થી લઈને ર૮ ફેબ્રુઆરી, ર૦ર૩ સુધી લગ્ન માટેનાં મુહૂર્ત છે. આ દરમિયાન લગ્ન માટે રર શુભ તિથિ છે. તે પછી ૧પ માર્ચ, ર૦ર૩ના રોજ સૂર્ય મીન રાશિમાં જતાં જ મીનારક કમુરતાં શરૂ થઈ જશે, જોકે ધન અને મીન બંને જ દેવગુરુ બૃહસ્પતિની રાશિઓ છે અને આ બંને જ રાશિઓમાં જઈને સૂર્ય નબળો પડી જાય છે, જેથી માંગલિક કાર્યો થઈ શકતાં નથી.
આ વર્ષમાં લગ્ન માટેનાં કુલ પ૯ શુભ મુહૂર્ત
આ વર્ષમાં લગ્ન માટેનાં કુલ પ૯ શુભ મુહૂર્ત છે. આ શુભ સમય જાન્યુઆરી, ફેબ્રુઆરી, મે, જૂન, નવેમ્બર અને ડિસેમ્બરમાં છે. આ મહિનામાં નવ શુભ મુહૂર્ત છે, જ્યારે ફેબ્રુઆરીમાં ૧૩, મેમાં ૧૪, જૂનમાં ૧૧, નવેમ્બરમાં પાંચ અને ડિસેમ્બરમાં સાત લગ્નનાં શુભ મુહૂર્ત છે. ર૭ જાન્યુઆરીએ વસંત પંચમી, રર એપ્રિલે અખાત્રીજ અને ર૭ જૂન ભડલી નોમના રોજ લગ્નનાં વણજોયાં મુહૂર્ત રહેશે.
શહેરમાં છેલ્લાં ૧૦ વર્ષમાં સૌથી વધુ લગ્ન ગત વર્ષે નોંધાયાં
શહેરમાં કોરોનાની વિદાય થયા બાદ ચાલુ વર્ષે મોટા પાયે લગ્ન મુહૂર્તના કારણે લગ્નગાળો ખૂબ જામ્યો છે. જોકે છેલ્લાં દસ વર્ષમાં સૌથી વધુ લગ્ન ર૦રરમાં નોંધાયાં હતાં. ર૦ર૦માં કોરોના લોકડાઉન સમયે પણ મર્યાદિત હાજરી વચ્ચે લગ્ન પ્રસંગો યોજાયા હતા. વર્ષ ર૦૦પથી લગ્નની નોંધણી ફરિજયાત થયા બાદ લોકો લગ્ન નોંધણી કરાવતા થયા છે, જેમાં સૌથી વધુ લગ્ન ગત વર્ષે નોંધાયાં છે. ચાલુ વર્ષે પણ હવે ૧૪ જાન્યુઆરી બાદ ફરી લગ્નોત્સવ શરૂ થવાનો છે.