પહેલા કોંગ્રેસના સિનિયર નેતા રણદીપ સુરજેવાલાએ ટ્વિટ કરી
કોરોનાની સારવાર માટે ઉપયોગમાં લેવાતા ઇન્જેકશન અને દવાઓને લઈ પૂછતાછ
મારને વાલે સે બડા હોતા હૈ બચાને વાલા - રાહુલે લખ્યું
કોંગ્રસ નેતા શ્રી નિવાસની દિલ્હી પોલીસે પૂછપરછ વિરુધ્ધ હવે કોંગ્રેસ નેતા રાહુલે ગાંધીએ એક ટ્વિટ કરી છે. આ સાથે જ કોંગ્રેસે શ્રીનિવાસના સમર્થનમાં #IstnadWithIYC કેમ્પઈન પણ શરૂ કર્યું છે. કોરોના દર્દીઓની મદદ કરીને ચર્ચામાં આવેલા કોંગ્રેસ નેતા શ્રી નિવાસની શુક્રવારે દિલ્હી પોલીસે પૂછપરછ કરી હતી. આ પૂછતાછ લગભગ 20 મિનિટ સુધી ચાલી. જણાવવામાં આવી રહ્યું છે કે આ પૂછપરછ દિલ્હી પોલીસની ક્રાઇમબ્રાન્ચે દિલ્હી હાઇકોર્ટના આદેશ પર કરી હતી.
बचाने वाला हमेशा मारने वाले से बड़ा होता है।#IStandWithIYC
પહેલા કોંગ્રેસના સિનિયર નેતા રણદીપ સુરજેવાલાએ ટ્વિટ કરી
શ્રી નિવાસના સમર્થનમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આવ્યા હતા અને ટ્વિટ કરતાં લખ્યું કે " મારને વાલે સે બડા હોતા હૈ બચાને વાલા". આ સાથે જ કોંગ્રેસે શ્રીનિવાસના સમર્થનમાં #IstnadWithIYC કેમ્પઈન પણ શરૂ કર્યું. આ પહેલા કોંગ્રેસના સિનિયર નેતા રણદીપ સુરજેવાલાએ ટ્વિટ કરીને શ્રી નિવાસનું સમર્થન કર્યું હતું. રણદીપ સુરજેવાલાએ ટ્વિટ કરીને લખ્યું કે "મદદ કરવા વાળા યુવા કોંગ્રેસ અધ્યક્ષ શ્રી નિવાસને મદદ કરતાં અટકાવવા એ મોદી સરકારનો ભયાવહ ચહેરો છે. આવી કાર્યવાહીથી અમે નથી ડરતા, કે પછી હિમંત પણ નહીં હારીએ. અમારી સેવાનો સંકલ્પ વધુ દ્રઢ થશે.
કોરોનાની સારવાર માટે ઉપયોગમાં લેવાતા ઇન્જેકશન અને દવાઓને લઈ પૂછતાછ
જાણકારી મુજબ કોરોના કાળમાં દર્દીઓ અને તેમના પરિવારના લોકોને જરૂરી મેડિકલ સાધનો અને દવાઓ આપવા બદલ તેમની પૂછતાછ કરવામાં આવી હતી. આ સબંધમાં પોલીસે પહેલા પણ કેટલાક લોકોની પૂછતાછ કરી હતી. પોલીસે આમ આદમી પાર્ટીના નેતા દિલીપ પાંડેનો પણ સંપર્ક કર્યો હતો અને દિલ્હી ભાજપ પ્રદેશના પ્રવક્તા હરીશ ખુરાનાની પણ પૂછપરછ કરી હતી.
શ્રીનિવાસ કર્ણાટક, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, દિલ્હી, ઝારખંડ જેવા ઘણા રાજ્યોમાં પોતાની ટીમ બનાવી દર્દીઓની સેવા અને મદદ કરી રહ્યું છે.