કોરોના વાયરસનાં કારણે લોકડાઉનની વચ્ચે મંગળવારે ભારતીય શેરબજારમાં પાછી ચમક જોવા મળી હતી. કોરોનાના કહેર વચ્ચે મંગળવારે સેન્સેક્સ 854 અંકના વધારા સાથે ખૂલ્યો, અને નિફ્ટીમાં પણ 248 પોઈન્ટનો વધારો થયો હતો. સેન્સેક્સ અને નિફ્ટી ભારે ઉછાળા સાથે જ બંધ થયા.
સેન્સેક્સ 1028 અંક અને નિફ્ટી 316 અંકોનો વધારો
વૈશ્વિક બજારોમાં પણ તેજીની અસર
સોમવારે પણ બજારોમાં જોવા મળી હતી તેજી
કોરોના વાયરસનાં કારણે ભારત સહીત વિશ્વના સ્ટોક માર્કેટમાં ભારે કડાકાનાં કારણે અબજો રૂપિયા ધોવાઈ ગયા હતા. પરંતુ આર્થિક વર્ષનાં છેલ્લાં દિવસે બજારોમાં રોનક જોવા મળી. આજે સેન્સેક્સ 1028 અંક અને નિફ્ટી 316 અંકોના વધારા સાથે બંધ થયું હતું. આ પહેલા સોમવારે પણ બજારોમાં ભારે ઉછાળો જોવા મળ્યો હતો.
સ્ટોક માર્કેટમાં ભારે ઉછાળા પાછળ ઘણા કારણો છે. ઘણી જુદી જુદી ક્રેડીટ એજન્સીઓનું માનવું છે કે ભારતની આર્થિક પરિસ્થિતિ અન્ય દેશો કરતા સારી રહેશે. જેના કારણે બજારમાં પણ ઉત્સાહ જોવા મળ્યો.
કોરોના વાયરસના કારણે લોકડાઉનની જાહેરાત બાદ કોરોના વાયરસનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું નથી અને ઓછા લોકો ઝપેટમાં આવી રહ્યા છે જેની સારી અસર જોવા મળી હતી. વૈશ્વિક બજારોમાં થોડી ઘણી તેજી જોવા મળી રહી છે. અમેરિકા, જાપાન અને ચીનના બજારો તેજીમાં છે. ચીનમાં લાંબા સમય બાદ કારોબાર શરુ થઇ રહ્યા છે જેની સકારાત્મક અસર ભારતીય શેર બજારોમાં દેખાઈ રહી છે.
શેરબજારમાં તેજીના કારણે ઘણી બધી કંપનીને ફાયદો મળી રહ્યો છે. સાથે જ BSEનું માર્કેટ કેપ પણ વધી રહ્યું છે.