કોરોના વાયરસે આખી દુનિયામાં મહામારીનું રૂપ ધારણ કર્યું છે અને અત્યારે એક લાખથી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ઘણા દેશોના વૈજ્ઞાનિકો તેની સારવાર અને રસીની શોધમાં મથી રહ્યા છે પરંતુ હજુ સુધી એક પણ સફળ રહ્યું નથી. આવી જ એક રિસર્ચમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે કોરોનાની સારવાર દરિયામાં મળતા લાલ શેવાળની મદદથી કરી શકાય છે અને કોરોનાને ફેલાતા રોકી શકાય છે.
રિલાયન્સ લાઇફ સાયન્સ ભારતમાં કોરોના વાયરસ ને લગતા સંશોધનને આગળ વધારવામાં મદદ કરશે: મુકેશ અંબાણી
આ સંશોધન દેશની અગ્રણી વ્યવસાયિક કંપની રિલાયન્સ દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં તેમણે સમુદ્રમાં મળતા લાલ શેવાળની મદદથી કોરોના વાયરસ નો ઇલાજ કરવાનો દાવો કરવામાં આવ્યો છે.રિલાયન્સ ના સંશોધન મુજબ જો સમુદ્રમાં મળતા લાલ શેવાળે તેના શરીરમાંથી ઉત્સર્જીત કરેલા કાર્બનિક રસાયણોનો કોટિંગ પાવડર તૈયાર કરીને અને સેનિટરી વસ્તુઓ પર તેનો ઉપયોગ કરવામાં આવે તો ચેપ ફેલાવાથી બચાવી શકાય છે.
નોંધનીય છે કે સિંક, શૌચાલય, ટાંકી વગેરે જેવી બધી વસ્તુઓનો સમાવેશ સેનિટરી વસ્તુઓમાં કરવામાં આવે છે જેનો આપણે રોજ ઉપયોગ કરીએ છીએ.રિલાયન્સ તરફથી વિનોદ નાગલે, મહાદેવ ગાયકવાડ, યોગેશ પવાર અને શાંતનુ દાસગુપ્તાએ આ સંશોધન કર્યું છે. આ બધા વૈજ્ઞાનિકો અને સંશોધનકારો રિલાયન્સના સંશોધન અને વિકાસ કેન્દ્રમાં કામ કરે છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી એ કોરોનાના વધતા સંકટ વચ્ચે જણાવ્યું હતું કે રિલાયન્સ લાઇફ સાયન્સ ભારતમાં આ રોગચાળાને લગતી તપાસ અને સંશોધનને આગળ વધારવામાં મદદ કરશે.
દેશમાં કોરોના વાયરસનો ચેપ ઝડપથી ફેલાઇ રહ્યો છે. દેશમાં અત્યાર સુધીમાં 8 હજારથી વધુ ચેપગ્રસ્ત દર્દીઓની પુષ્ટિ થઈ છે, જ્યારે 270 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે.