તમે ભારતમાં ઘણા મંદિરો જોયા હશે, પરંતુ એક એવું અનોખું મંદિર પણ છે જ્યાં લોકોને પ્રસાદ તરીકે ગાંજા આપવામાં આવે છે.
ભારત સંસ્કૃતિ અને પરંપરાઓમાં માનતો દેશ છે
એવું અનોખું મંદિર જ્યાં પ્રસાદમાં આપવામાં આવે છે ગાંજો
અહીંના લોકો પ્રસાદના રુપમાં ગાંજોનું કરે છે સેવન
તમે પણ જાણો કર્ણાટકના આ મંદિર વિશે
ભારત સંસ્કૃતિ અને પરંપરાઓમાં માનતો દેશ છે. એજ કારણ છે કે અહીયા તમને દરેક ક્ષેત્રમાં અલગ-અલગ લોકો જોવા મળે છે. એટલું જ નહીં આસ્થામાં પણ ભારત અન્ય દેશોની તુલનામાં ખૂબ જ આગળ છે. હવે આ ઉદાહરણ જુઓ, જ્યાં ભારતમાં ગાંજાનું વેચાણ અને સેવન કરવું ગુન માનવામાં આવી રહ્યો છે. પરંતું દેશમાં એક એવું મંદિર છે. જ્યાં પ્રસાદ તરીકે ગાંજો આપવામાં આવે છે. અમે જે મંદિર વિશે વાત કરી રહ્યા છીએ તે શ્રી મૌનેશ્વર મંદિર તરીકે ઓળખાય છે. જે ઉત્તર કર્ણાટકમાં આવેલું છે. ગાંજાનું સાંભળીને તમારા મનમાં પણ એક જ સવાલ થશે કે તેને શા માટે આવે છે અને કોણ તેનું સેવન કરે છે, તો ચાલો તમને આ મંદિવ વિશે જણાવીએ.
પ્રસાદમાં ક્યા સમુદાયમાં વધુ વહેંચવામાં આવે છે?
અહીંના કેટલાક મંદિરોમાં ભગવાનને પ્રસાદ તરીકે ગાંજો આપવામાં આવે છે. જેને લોકો ખૂબ જ ચાહનાથી ખાય છે. અહીંના શરણા, અવધૂત, શપથ જેવા સમુદાયના લોકો તેને પ્રસાદ માને છે અને વિવિધ સ્વરુપે તેનું સેવન કરે છે. આ પરંપરા અહીંના મંદિરોમાં આજથી નહીં પરંતું ઘણા વર્ષોથી જોવા મળે છે. અને ઘણા લોકો તેમાં વિશ્વાસ પણ કરે છે. વર્ષને 8 મહિના પાણીમાં ડૂબી રહે છે આ અનોખું મંદિર, અહીંથી દેખાય છે સ્વર્ગ તરફ જતી સીડીઓ
ગાંજાનાં સેવનથી આધ્યાત્મિક શાંતિ મળે છે
લોકો માને છે કે ગાંજાના સેવનથી તેમને આધ્યાત્મિક શાંતિની અનૂભુતિ થાય છે. કર્ણાટકના યાદગીર જીલ્લાના મૌનેશ્વર અથવા મણપ્પાની પ્રાર્થના પછી ગાંજાને પેકેટ આપવામાં આવે છે અને લોકો તેને પાણીમાં ઉકાળીને અથવા તેનું સેવન કરીને ખાય છે.
મંદિરની પરંપરા
આ પરંપરા વિશે મંદિર સમિતિના લોકોનું કહેવું છે કે આ મંદિકરની પરંપરા છે અને અહીંના સંતો અને ભક્તો તેને પવિત્ર ઘાસ માને છે, તે તેમને આધ્યાત્મિક જ્ઞાનના માર્ગ પર લઈ જવામાં મદદ કરે છે.
લોકો ધ્યાન માટે ગાંજાનું સેવન કરે છે
જાણીને આશ્ચર્ય થાય છે કે અહીંના મોટાભાગના લોકો માત્ર ધ્યાન કરવા માટે ગાંજાનું સેવન કરે છે. વાસ્તવમાં શરણા સમુદાયના લોકોનું કહેવું છે કે જે લોકો મંદિરમાં ગાંજાનું સેવન કરે છે. તેમને તેનું વ્યસન જોવા નહીં મળે. મોટાભાગના લોકો દિવસમાં એકવાર અથવા અઠવાડિયામાં એક વખત તેનું સેવન કરે છે. જેથી તેઓ ધ્યાન કરી શકે. દેશના આ મંદિરોની પરંપરા સાંભળીને તમને અજીબ લાગશે. પરંતુ લોકો ભગવાનના નામ પર ગાંજાનું ઉગ્ર સેવન કરે છે.