દેશના ઉપ રાષ્ટ્રપતિ પદ માટે વિપક્ષના સંયુક્ત ઉમેદવાર માર્ગરેટ અલ્વાએ ચૂંટણી દરમિયાન વોટિંગમાં ગેરહાજર રહેવા માટે ટીએમસીના નિર્ણયની ટીકા કરી છે. અલ્વાએ એક ટ્વિટ કરતા મમતા બેનર્જીની પાર્ટીને યાદ અપાવ્યું હતું કે, ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી કોઈ વાત, અહંકાર અથવા ગુસ્સાનો સમય નથી. માર્ગરેટ અલ્વાએ પોતાના ટ્વિટમાં લખ્યું છે કે, ઉપ રાષ્ટ્રપતિ પદની ચૂૂંટણીમાં મતદાનથી દૂર રહેવાનો ટીએમસીનો નિર્ણય નિરાશાજનક છે. આ આવી વાત કરવા, અહં અને ગુસ્સો બતાવાનો સમય નથી. આ સાહસ, નેતૃત્વ ક્ષમતા અને એકતા બતાવાનો સમય છે. મને વિશ્વાસ છએ કે, મમતા બેનર્જી જે સાહસના પ્રતીક છે, વિપક્ષની સાથે ઊભા રહેશે.
The TMC's decision to abstain from voting in the VP election is disappointing. This isn't the time for 'whataboutery’, ego or anger. This is the time for courage, leadership & unity. I believe, @MamataOfficial , who is the epitome of courage, will stand with the opposition.
મમતાની પાર્ટી ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં નહીં કરે મતદાન
સત્તાધારી ભાજપ અને એનડીએ ગઠબંધને ઉપરાષ્ટ્રપતિ પદ માટે બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડને ઉમેદવાર બનાવ્યા છે. મમતાએ હાલમાં જ તેમને અને પૂર્વોત્તરમાં ભાજપના રણનીતિકાર અને આસામના સીએમ હિમંત બિસ્વા શરમા સાથએ મુલાકાત કરી છે. ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાનથી દૂર રહેવાના નિર્ણયની સાથે સાથે ટીએમસીએ વિપક્ષી એકતાને મોટો ઝટકો આપ્યો છે. મમતા બેનર્જીના ભત્રીજા અભિજીત બેનર્જીએ કહ્યું કે, પાર્ટી એકમતથી ન તો ધનખડ અને ન અલ્વાને સપોર્ટ કરવાનો નિર્ણય લીધો છે. ટીએમસી સાંસદે સંવાદદાતાઓ સાથે વાત કરતા આ વાત જણાવી હતી.