કોરોનાના કહેરથી લોકો હજૂ તો બહાર નથી આવ્યા, ત્યાં દુનિયામાં નવી નવી બિમારીઓ લોકોને ડરાવી રહી છે.
કોરોનાની સાથે સાથે વિશ્વમાં નવા વાયરસની એન્ટ્રી
આ વાયરસથી સંક્રમિત બે લોકોના મોત
WHOએ આ વાયરસને લઈને આપી જાણકારી
કોરોનાના કહેરથી લોકો હજૂ તો બહાર નથી આવ્યા, ત્યાં દુનિયામાં નવી નવી બિમારીઓ લોકોને ડરાવી રહી છે. પશ્ચિમી આફ્રિકાના ધાનામાં ખતરનાક મારબર્ગ વાયરસથી સંક્રમિત દર્દીઓ જોવા મળ્યા છે. એક્સપર્ટનું માનવું છે કે, મારબર્ગ સંક્રમણ અન્ય એક બિમારી ઈબોલાના વાયરસથી પણ વધારે ઝડપથી ફેલાય છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ગુરૂવારે કહ્યું હતું કે, ધાનામાં જે બે લોકોના ટેસ્ટ લેવામાં આવ્યા હતા, તેમાં મારબર્ગ વાયરસની પુષ્ટિ થઈ છે. આ બંને લોકોનું સંક્રમણના કારણે મોત થઈ ગયું છે.
WHOએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે, ધાનામાં લેવામાં આવેલા સેમ્પલ પોઝિટિવ આવ્યા છે. WHOએ વિશેષ ભાર આપતા કહ્યું કે, સેમ્પલના પરિણામની પુષ્ટિ સેનેગલની એક પ્રયોગશાળા દ્વારા કરવાની હતી. સંભવિત ખતરાને જોતા આ સંક્રમણથી લડવાની તૈયારીઓ થઈ રહી છે. તેની સાથે જ આગળની તપાસ પણ ચાલી રહી છે. નિવેદનમાં કહ્યું છે કે, દક્ષિણી અશાંતી રિઝનના બે દર્દીઓેેમાં ઝાડા, તાવ, બેચેની અને ઉલ્ટી જેવા કેટલાય લક્ષણો જોવા મળ્યા હતા.
ગિનીમાં મળી ચુક્યો છે મારબર્ગ વાયરસ
જો આ કેસની પુષ્ટિ થઈ જાય તો, તે પશ્ચિમ આફ્રિકામાં મારબર્ગ સંક્રમણ, ઈબોલા સંક્રમણ બાદ ઝડપથી ફેલાનારી બીજી બિમારી હશે. ગત વર્ષે ગિનીમાં વાયરસનો પ્રથમ કેસ આવ્યો હતો, જો કે હજૂ સુધી મારબર્ગથી સંક્રમિત કોઈ બીજો કેસ આવ્યો નથી.
WHOના જણાવ્યા અનુસાર, 1967થી અત્યાર સુધીમાં ડઝનબંધ મારબર્ગના પ્રકોપ જોવા મળ્યા છે. મોટા ભાગના દક્ષિણી અને પૂર્વી આફ્રિકામાં મળ્યા હતા. વાયરસના સ્ટ્રેન અને કેસ પ્રબંધનના આધાર પર ગત લહેરમાં મૃત્યુ દર 24 ટકાથી 88 ટકા પર રહ્યો હતો.
ચામાચિડીયાથી ફેલાય છે આ વાયરસ
એક્સપર્ટના જણાવ્યા અનુસાર, મારબર્ગ સંક્રમણ પણ ચામાચિડીયાથી ફેલાય છે. સંક્રમિત લોકોમાં તાવ, માથાનો દુખાવો જેવા લક્ષણો જોવા મળે છે. સંક્રમિત થનારા અમુક દર્દીમાં 7 દિવસની અંદર બ્લિડીંગ પણ થઈ શકે છે. હાલમાં મારબર્ગ સંક્રમણ માટે કોઈ વેક્સિન બની નથી.