મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની સૌથી મોટી રાજકીય મુશ્કેલીનો અંત આવ્યો છે.મહારાષ્ટ્ર રાજ્ય પછાત પંચે પોતાના રિપોર્ટમાં મરાઠા સમુદાયને પછાત ગણાવ્યા. આ રિપોર્ટમાં મરાઠા અનામત મળવનો રસ્તો સાફ થયો છે.
રિપોર્ટમાં મરાઠા સમુદાયને સામાજિક આર્થિક અને શૈક્ષણિક આધારે પછાત ગણવામાં આવ્યા છે. આ પંચના સુત્રોના જણાવ્યા મુજબ રિપોર્ટ બાદ મરાઠા સમુદાયને શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી નોકરીઓમાં અનામત આપવાનો રસ્તો સાફ થયો છે.
પંચ આ રિપોર્ટ આજે રાજ્યના મુખ્ય સચિવ ડી.કે.જૈનને સોંપશે. તો મહારાષ્ટ્ર સરકારના મંત્રીનું કહેવું છે કે આ રિપોર્ટને બોમ્બે હાઈકોર્ટને સોંપવામાં આવશે નહીં.
આ રિપોર્ટની કેબિનેટ મીંટિગમાં ચર્ચા થશે ''અમે મરાઠા સમુદાયને અનામત આપવા માટે બિલ લાવીશું અને વિધાનસભામાં કાયદો પસાર કરાવીશું. જો કોઈ આ કાયદાને કોર્ટમાં પડકારશે તો જ અમે રિપોર્ટ કોર્ટમાં રજૂ કરીશું.''
તમને જણાવી દઇએ કે મરાઠાઓની અનામતની માંગ 1980થા દાયકાથી લબંતિ છે. રાજ્યમાં પછાત પંચોના સૂત્રોનુસાર 25 વિભિન્ન માનકોપર મરાઠાઓના સામાજિક શૈક્ષણિક અને આર્થિક આધાર પર પછાત થવાની તપાસ કરી જેમાં આ તમામ માનકો પર મરાઠાઓની સ્થિતિ દયનીય છે. આ દમરિયાન કરવા આવેલા સર્વેમાં 43000 મરાઠા પરિવારોની સ્થિતિ જાણવામાં આવી. આ સિવાય જાહેર સુનાવણીમાં લગભગ 20 મિલિયન સંસ્મરણોનો પણ અભ્યાસ કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં 1980ના દાયકાથી જ મરાઠાના દાયકાની માંગ હતી. ત્યારે મરાઠાના કર્મચારીઓનાનેતા અન્નાસાહેબ પાટિલે આ આંદોલનનું નેતૃત્વ કર્યુ. આ માંગને લઇને ભૂખ હડતાળના દરમિયાન તેમનો જીવ જતો રહ્યો હતો. આ મામલો ફરી 2009માં વિધાનસભાની ચૂંટણી વખતે સામે આવ્યો. 2014સુધી આ માંગે ફરી જોર પક્ડયુ. ત્યાં સુધી કોંગ્રેસ-NCP સરકારના મુખ્યા CM પૃથ્વીરાજ ચૌહાણે મરાઠોને 16% અનામત આપવાની જાહેરાત કરી હતા જોકે આ નિર્ણય બોમ્બે હાઇકોર્ટને પલ્ટી નાખ્યુ.