સુરતઃ મહારાષ્ટ્રમાં ચાલતા આંદોલનની અસર ગુજરાતમાં જોવા મળી છે. દક્ષિણ ગુજરાતમાં ગુજરાતની બસોને સળગાવવાનો પ્રયત્ન હાથ ધરાયો હતો. ડાંગ જૂલ્લાના સાપુતારામાં ST બસોને અટકાવામાં આવી છે. મહારાષ્ટ્રમાં ચાલતા મરાઠા આંદોલનના કારણે સાપુતારાથી મહારાષ્ટ્ર રૂટની ST બસોને રોકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
મહારાષ્ટ્રના પુણેમાં જ્યાં ફરી એકવાર મરાઠા અનામત આંદોલને વેગ પકડ્યો છે. અનામતની માગ સાથે પ્રદર્શનકારીઓએ હિંસક બન્યા હતા. સરકારી સંપત્તિમાં તોડફોડ કરી હતી. પુણે-નાસિક હાઈવે પર આવેલા ચાકન ઈન્ડસ્ટ્રિયલ વિસ્તારમાં રાજ્ય પરિવહન વિભાગની અને પુણે નગરપાલિકાની લગભગ 25 બસોમાં આગ લગાવાઈ હતી. તો ટાયરો સળગાવી હાઈવે પર ચક્કાજામ કરી દેવાયો હતો.
મહત્વનું છે કે મહારાષ્ટ્રમાં ચાલતા આંદોલનમાં ગુજરાતની બસોને સળગાવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. હિંસક આંદોલનમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને માટે મહારાષ્ટ્ર જતી ગુજરાતની તમામ બસોને રોકવામાં આવી છે તો બીજી બાજું ST બસોને રોકતા અનેક મુસાફરો અટવાયા હતા.