યુપી આતંકવાદ વિરોધી દળ (ATS) ને એક મોટી સફળતા હાથ લાગી છે. રવિવારે ધરપકડ કરવામાં આવેલા આતંકીઓ પાસેથી યુપીના ઘણા શહેરોના નકશા મળ્યાં છે.
યુપી આતંકવાદ વિરોધી દળ (ATS) ને મોટી સફળતા હાથ લાગી
આતંકીઓ પાસેથી યુપીના ઘણા શહેરોના નકશા મળ્યાં
આતંકીઓેએ 3000 રુપિયામાં બોંબ બનાવ્યો હતો
એટીએસના સૂત્રોના જણાવ્યાનુસાર, અલકાયદા સમર્થિત આ આતંકવાદીઓ કોઈ મોટા આતંકી હુમલાની ફિરાકમાં હતા. આ આતંકીઓએ કોઈ વેબસાઈટ પરથી બોંબ બનાવવાની તાલીમ લીધી હતી.
નિશાન પર હતા ઘણા શહેર
એટીએસના સૂત્રોએ જણાવ્યું કે આતંકીઓ પાસેથી કાશી અને મથૂરાના સહિતના ધાર્મિક સ્થળોને નકશા મળ્યાં હતા. આ નકશામાં અલગ અળગ પોઈન્ટની ટીક કરવાયા હતા. આતંકીઓ પાસેથી ગોરખપુરના એક વિસ્તારની ડિટેઈલ મળી હતી. યુપીના ઘણા શહેરોના જાહેર અને ધાર્મિક સ્થળોની વિગતો પણ આતંકીઓ પાસેથી મળી છે.
આતંકીઓેએ 3000 રુપિયામાં બોંબ બનાવ્યો હતો.
બન્ને આતંકીઓ ઈન્ટરનેટ દ્વારા અલકાયદાના સંપર્કમાં આવ્યાં હતા ઉમર અલ મદની બન્ને આતંકી સાથે સતત સંપર્કમાં હતો. તેના કહેવાથી જ બન્નેએ બોંબ બનાવ્યો હતો. એટીએસે કહ્યું કે આતંકીઓેએ 3000 રુપિયામાં બોંબ બનાવ્યો હતો.
15 ઓગસ્ટ પહેલા મોટાપાયે વિસ્ફોટ કરવાના હતા-યુપી એડીજી પ્રશાંત કુમાર
યુપીના લો એન્ડ ઓર્ડર એડીજી પ્રશાંત કુમારે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે ઝડપાયેલા આતંકીઓનું પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું છે. તેમણે દાવો કર્યો કે આતંકવાદીઓ પાકિસ્તાનના પેશાવરથી હેન્ડલ કરાઈ રહ્યાં હતા. આતંકીઓ 15 ઓગસ્ટ પહેલા વિસ્ફોટ કરવાના હતા. ઘણા શહેરોમાં બ્લાસ્ટ કરવાની યોજના હતા.
લખનઉમાં 2 આતંકી ઝડપાયા, મોટી માત્રામાં વિસ્ફોટક અને બોંબ મળ્યો
યુપીની રાજધાની લખનઉમાંથી મોટી માત્રામાં વિસ્ફોટક અને એક પ્રેસર કૂકર બોંબ સાથે 2 આતંકીઓને ઝડપી પાડવામાં આવ્યાં છે. એટીએસનો દાવો છે કે અલકાયદાના આતંકીઓ લખનઉ અને યુપીના બીજા વિસ્તારોમાં સીરિયલ બ્લાસ્ટ કરવાની તૈયારીમાં હતા. ભાજપના ઘણા નેતાઓ તેમના નિશાન પર હોવાનું પણ કહેવાઈ રહ્યું છે.
ઘરમાંથી મળ્યો પ્રેશર કુકર બોમ્બ
આતંકીઓ પાસેથી પ્રેશર કુકર તેમજ બોમ્બ પણ મળી આવ્યા છે. આ શંકાસસ્પદ આંતકીઓ કોઈ મોટી પ્લાનીંગ કરી રહ્યા હતા. પરંતુ તે કઈ પણ કરે તે પહેલાજ તેઓ ઝડપાઈ ગયા છે. આતંકીઓ ઝડપાયા હોવાની માહિતી મળ્યા બાદ આસપાસના વિસ્તારોમાં ચકચાર મચી જવા પામી છે. તેઓ જ્યા રહેતા હતા ત્યા આસપાસના ઘરોને ખાલી કરીને પુરા વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.