દેશના સૌથી ખૂંખાર માઓવાદી નેતા ગણપતિ વિશે ઘણીવાર મોતની ખબર સામે આવી છે પરંતુ તે બાદ માઓવાદી ગતિવિધિ થતાં તેનું નામ ફરીથી ઉછળી આવે છે.
ગણપતિ પર 2.5 કરોડ રૂપિયાનું ઇનામ
છત્તીસગઢ,મહારાષ્ટ્ર, ઓરિસ્સા, ઝારખંડ, બિહાર જેવા રાજ્યોની મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં નામ
લથડતાં સ્વાસ્થ્યના કારણે હવે તે સરેન્ડર કરી દેશે તેવા અહેવાલો
ગણપતિ દેશની આંતરિક સુરક્ષા માટે એક મોટો ખતરો છે અને તેનો અંદાજો તે વાતથી જાણી શકાય કે તેના પર અંડર વર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમ કરતા પણ વધારે ઇનામ છે. એવામાં હવે અહેવાલ સામે આવી રહ્યા છે કે આ શખ્સ હવે તેલંગાણા [પોલીસ સામે સરેન્ડર કરી શકે છે.
કોઈ રાજનેતા જેવી જ સુરક્ષામાં રહે છે
ગણપતિ એક દાયકાથી કેટલાય રાજયોની મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં છે. ગણપતિ ઉર્ફે લક્ષ્મણ રાવ વિશે કહ્યું આ માઓવાદી નેતાની તલાશ છત્તીસગઢથી લઈને મહારાષ્ટ્ર, ઓરિસ્સા, ઝારખંડ, બિહારની પોલીસને પણ છે. અહિયાં સુધી કે NIAને પણ તેની તપાસ છે. તેના પર અલગ અલગ ઇનામ રાખવામાં આવ્યા છે અને આમ 2.5 કરોડથી વધારે રકમ સાથે દેશનો સૌથી મોટો ઇનામી અપરાધી છે. માનવામાં આવે છે તે ગોરિલા ગાર્ડસની સુરક્ષામાં રહે છે અને કોઈ રાજનેતા જેવી જ સુરક્ષા રાખે છે.
દેશની આંતરિક સુરક્ષા પર સૌથી મોટો ખતરો
74 વર્ષના ગણપતિનો અસલી ચહેરો ઘણા વર્ષો પહેલા જોવામાં આવ્યો હતો. વર્ષ 1995માં તે પહેલીવાર ચર્ચામાં આવ્યો જ્યારે એક DSP સહીતની પોલીસની ગાડીને બોમ્બથી ઉડાવી દેવામાં આવી. તે હુમલામાં અધિકારીઓ સહીત 25 લોકોના મોત થયા હતા. તે બાદ ગણપતિએ વર્ષ 2006માં પોતાના સહયોગીઓ સાથે મળીને એર્રાબોર ક્ષેત્રમાં 35 આદિવાસીઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા.
સરેન્ડર કરશે તેવા સમાચારથી માઓવાદીઓમાં ખળભળાટ
2006માં 22 પોલીસકર્મીઓની હત્યા અને 14 નાગા સૈનિકોને લઇ જઈ રહેલી વેનને પણ ઉડાવી નાખી હતી. 2008માં તેણે CRPFના કેમ્પ પર હુમલો કર્યો હતો જેમાં આઠ જવાનો શહીદ થયા હતા. હવે એક અહેવાલ અનુસાર પોતાના લથડતાં સ્વાસ્થ્યના કારણે આ ગણપતિ સરેન્ડર કરવા માંગે છે. જોકે આ વાતથી માઓવાદીઓમાં ખળભળાટ મચી ગયો છે. ગુરુવારે સાંજે એક પ્રેસ રિલીઝ જાહેર કરીને કહેવામાં આવ્યું કે આ સત્ય છે કે તેમણે બે વર્ષ પહેલા પાર્ટી છોડી દીધી હતી પરંતુ સરેન્ડરની વાત ખોટી છે.