મજબૂત ટીમ ઇન્ડિયાની સફર વર્લ્ડ કપમાં પૂરી થયા પછી ભારતીય ક્રિકેટ ફેન્સ હવે વેસ્ટ ઇન્ડિઝ સામેની સીરિઝની રાહ જોઇ રહ્યા છે.
વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ માટે ટીમ ઇન્ડિયાની પસંદગી 19 જૂલાઇએ કરવામાં આવશે. એવામાં લાગી રહ્યુ છે કે કૈરેબિયાઇ પ્રવાસ માટે એક નવી ટીમ ઇન્ડિયા ત્યાં જશે. માનવામાં આવી રહ્યુ છે કે, આ પ્રવાસ પર મહેન્દ્ર સિંહ ધોની, શિખર ધવન, જસપ્રીત બુમરાહ અને વિરાટ કોહલીને આરામ મળી શકે છે. જોકે વિરાટને લઇને હજુ કંઇ સ્પષ્ટતા કરવામા આવી નથી. જો વિરાટ કોહલી આ પ્રવાસ પર નથી જતો તો વનડે, T-20 અને ટેસ્ટ ટીમની કેપ્ટન્સી રોહિત શર્મા કરશે. આ પ્રવાસ દરમિયાન ટીમમાં અંજ્કિય રહાણે તથા આર. અશ્વિન પરત ફરી શકે છે.
ટીમ ઇન્ડિયાનો વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ 3 ઓગસ્ટના રોજ શરૂ થશે. બંને ટીમો 3 વનડે, 3 T-20 અને 2 ટેસ્ટ મેચ રમશે. આ ટેસ્ટ મેચ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપનો ભાગ રહેશે. ટીમ ઇન્ડિયા વર્લ્ડકપની સેમિફાઇનલમાં કિવિઝ (ન્યૂઝીલેન્ડ) સામે હારી ગઈ હતી. તે પછી સમાચાર આવી રહ્યા હતા કે 38 વર્ષીય એમએસ ધોની સંન્યાસ લઇ શકે છે.
વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ માટે T-20ની સંભવિત ટીમ ઇન્ડિયા: