ગ્રામજનોનો આરોપ છે કે હજુ કેટલાક કામદારો લાપતા છે. ઘટના સ્થળની આસ-પાસના ગ્રામજનો દાવા સાથે કહી રહ્યા છે કે, હજુ કેટલાક લોકો મિસિંગ છે. જો કે, કંપની દ્વારા કોઈ જ પુષ્ટિ નહિ
ઘોઘંબા બલાસ્ટ મામલે ઘર્ષણનો ભય
કેટલાક કામદારો લાપતા હોવાનો દાવો
ગ્રામજનો વિફરતા પોલીસ કાફલો ખડકાયો
પંચમહાલના ઘોઘંબામાં ધડાકા સાથે આગ ફાટી નીકળતા કંપનીમાં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. ત્યારબાદ બપોર પછી ગ્રામજનો વિફરતા હલ્લાબોલ મચી ગયો છે.ગ્રામજનોનો આરોપ છે કે હજુ કેટલાક કામદારો લાપતા છે. ઘટના સ્થળની આસ-પાસના ગ્રામજનો દાવા સાથે કહી રહ્યા છે કે, હજુ કેટલાક લોકો મિસિંગ છે. જો કે, કંપની સત્તાધીશો દ્વારા અત્યાર સુધી કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી. સ્થાનિકો અને પોલીસ વચ્ચેના ધર્ષણમાં એક પોલીસ કર્મી ઈજાગ્રસ્ત થયાના સમાચાર મળ્યા છે. ઘટના અને ઘર્ષણ થવાના એંધાણનાં પગલે મોટા પ્રમાણમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.
બ્લાસ્ટ કેસમાં અત્યાર સુધીમાં 5ના મોત
ઘોઘંબાની GFL કંપનીમાં બ્લાસ્ટ દુર્ઘટનામાં વધુ એકનું મોત થતા અત્યાર સુધી કુલ 5 લોકોના મોત છે. જિલ્લા પોલીસ વડાએ મૃત્યુઆંકની પુષ્ટિ કરી છે. હજી પણ ઘણા કર્મચારીઓ લાપતા હોવાનો દાવો કરાઇ રહ્યો છે.
VTVની ટીમને કવરેજ કરતા અટકાવી
ઘોઘંબાની GFL કંપનીમાં બ્લાસ્ટના મામલે વિવાદ ઉભો થઈ ગયો છે.કંપનીના બ્લાસ્ટમાં વધુ મોત થયા હોવાની આશંકા સેવાઇ રહી છે. આ સાથે કંપનીમાં હજુ પણ કર્મચારીઓ કામ કરતા હોવાની આશંકા સેવાઇ રહી છે. VTVની ટીમ સમગ્ર મામલે તપાસ કરવા ઘોઘંબા પહોંચી હતી. જ્યાં GFL કંપનીના અધિકારીઓએ VTVની ટીમને કવરેજ કરતા અટકાવી હતી. આ સાથે કંપનીના અધિકારીઓ દ્વારા મીડિયા સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન પણ કર્યુ હતું.
GFLકંપનીના પ્લાન્ટમાં બ્લાસ્ટ બાદ આગજની
પંચમહાલના ઘોઘંબામાં ધડાકા સાથે આગ ફાટી નીકળતા કંપનીમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે.આ દૂર્ઘટનામાં કુલ 5 વ્યક્તિના મોત નિપજ્યા છે જ્યારે 15થી વધુ લોકો ઘાયલ થયા છે જેમા બાદ વહીવટી તંત્ર પણ એક્શનમાં આવ્યું છે. જીએફલમાં બ્લાસ્ટ મામલે જિલ્લા કલેક્ટરે ઘટના સ્થળની મુલાકાત લીધી છે જ્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ઘટના અંગે ટેલિફોનિક જાણકારી મેળવી છે. ઘોઘંબાના જીએફલમાં લાગેલી આગ હાલ કાબૂમાં આવી ગઈ છે પરતું ફાયર વિભાગ દ્વારા કુલિંગની કામગીરી કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે જીએફલમાં બ્લાસ્ટ થયા બાદ પણ કંપનીમાં ગેસ લીકેજ થયો નથી.
કલેક્ટરે લોકોને અફવાથી દૂર રહેવા અપીલ કરી
જિલ્લા કલેક્ટરે લોકોને અફવાઓથી દૂર રહેવાની અપીલ કરી છે. સોલવન્ટ સહિતના કેમિકલનો ખૂબ જ મોટી માત્રામાં જથ્થો રાખવામાં આવ્યો હોવાને કારણે બ્લાસ્ટ થયો હોવાનું મનાઈ રહ્યું છે. જોકે સમગ્ર મામલે પોલીસ હવે અકસ્માતનો ગુનો નોંધી કલમ 174 મુજૂ કાર્યવાહી હાથ ધરી છે.આજે ઘોઘંબામાં ગુજરાત ફ્લોરો કંપનીમાં ધડાકા સાથે બ્લાસ્ટ થતા કંપનીમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જ્યારે સ્થાનિકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો.