શ્રીનગર: એક તરફ જમ્મુ કશ્મીરમાં રાજકીય ઉથલપાથલ ચાલી રહી છે ત્યારે સેનાએ પણ આતંકીઓ સામે એન્કાઉન્ટર શરૂ કર્યું છે. આ એન્કાઉન્ટરમાં સેનાએ બે આતંકવાદીઓને ઠાર કર્યાં છે. આ મુઠભેડમાં એક ભારતીય સૈનિક પણ ઘાયલ થયો છે. જોકે સેનાએ ચાર આતંકીઓની ઘેરી લીધા છે અને તેમની સામેનું ઓપરેશન ચાલુ છે. મહત્વનું છે કે કશ્મીરમાં રમજાન મહિના દરમિયાન સેનાએ ઓપરેશન પર રોક લગાવી હતી પરંતુ રમજાન મહિનો પુરો થતાની સાથે જ સેના ફરીથી સક્રિય બની છે.
ઉલ્લેખનીય છે કે આજરોજ જમ્મુ કશ્મીરમાં આજરોજ ભાજપ અને પીડીપી વચ્ચેનું ગઠબંધન તૂટતા રાજકારણમાં ગરમાવો ફેલાઇ ગયો હતો અને મુફ્તી સરકાર પડી હતી. આ ઘટનાના કલાકો બાદ જ ભારતીય સેનાએ 2 આતંકીઓને ઠાર કરતા ભારતે રમઝાન બાદ ફરી પોતાની તાકાત બતાવી હતી.
2 terrorists killed in an encounter with security forces in Pulwama's Tral. 1 CRPF personnel injured & has been evacuated to 92 Base Hospital. Operation underway. #JammuAndKashmir (Visuals deferred by unspecified time) pic.twitter.com/Iz1qrotuNa
આપને જણાવી દઇએ કે પુલવામાના ત્રાલમાં સુરક્ષાદળોએ બે આતંકીઓને ઠાર કરીને રમજાન બાદ જવાનોએ ફરી પોતાની તાકાતનો પરચો આપ્યો હતો. આજરોજ મોડી સાંજે થયેલ ત્રાલમાં થયેલા આ એન્કાઉન્ટરમાં એક જવાન અને એક સ્થાનિક નાગરિક પણ ઘાયલ થઈ ગયા છે. સેનાને આતંકવાદીઓ છુપાયા હોવાની ગુપ્ત જાણકારી મળતા સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં મળેલ સમાચાર મુજબ સુરક્ષાદળોનું સર્ચ ઓપરેશન હજુ પણ ચાલુ છે. જો કે આ વિસ્તારમાં અન્ય આતંકીઓ છુપાયા હોવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવે છે. રમઝાન દરમિયાન લગાવેલા સીઝફાયરને રદ્દ કર્યા બાદ ઘાટીમાં સેના ફરી સક્રીય બની ગઈ છે.