આજે CWCની બેઠક મળનારી છે ત્યારે કાર્યકારી અધ્યક્ષ તરીકે 1 વર્ષ પૂરું કર્યા બાદ કોંગ્રેસ અધ્યક્ષ પદ સોનિયા ગાંધી છોડી શકે છે. CWC બેઠકમાં આજે નવા અધ્યક્ષનો મુદ્દો ઉઠી શકે છે. 5 પૂર્વ સીએમ સહિત 23 નેતાઓએ કોંગ્રેસ પાર્ટીને પત્ર લખ્યો છે અને સાથે જ નવા અધ્યક્ષ પસંદ કરવા અંગેનો મુદ્દો ઉઠી શકે છે.
સોનિયા ગાંધી છોડી શકે છે કોંગ્રેસ અધ્યક્ષ પદ
સોનિયા ગાંધીએ આજે CWCની બેઠક બોલાવી
CWC બેઠકમાં નવા અધ્યક્ષનો મુદ્દો ઉઠી શકે છે
5 પૂર્વ સીએમ સહિત 23 નેતાઓએ કોંગ્રેસ પાર્ટીને પત્ર લખ્યો છે અને સાથે જ નવા અધ્યક્ષ પસંદ કરવા અંગેનો મુદ્દો ઉઠી શકે છે. સોનિયા ગાંધીને પાર્ટીમાં બદલાવ માટે પત્ર લખ્યો છે. કોંગ્રેસ નેતાઓએ ગાંધી પરિવારના હાથમાં જ કમાન રહે તેવો મત છે. પંજાબના CM અમરિંદર, રાજસ્થાનના CM ગેહલોતે ગાંધી પરિવાર પર વિશ્વાસ મૂક્યો છે અને છત્તીસગઢના CM ભૂપેશ બઘેલ અને અન્ય નેતાઓનો પણ ગાંધી પરિવાર પર વિશ્વાસ મુક્યો છે. પાર્ટીના સૂત્રોનું કહેવું છે કે સોમવારે સવારે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી થનારી CWCની બેઠકમાં વરિષ્ઠ નેતાઓના પત્ર અને તેમાં આપવામાં આવેલા સૂચનોનો મુદ્દો હાવી થવાની સંભાવના છે. બેઠકમાં નક્કી છે કે નેતૃત્વ અને સંગઠન પર કેન્દ્રિત રહેશે.
મનમોહન સિંહને બનાવી શકાય છે પાર્ટીના વચગાળાના પ્રમુખ
આજે મળનારી બેઠકને લઈને સૂત્રોના જણાવ્યા અનુસાર સોનિયા ગાંધીના રાજીનામાની સ્થિતિમાં મનમોહન સિંહ અથવા એકે એન્ટનીને પાર્ટીના વચગાળાનું પ્રમુખ પદ આપવામાં આવી શકે છે.
સભ્યો ઈચ્છે છે કે રાહુલ ગાંધી અધ્યક્ષ બને
પાર્ટીના 2 ઘડામાં વહેંચાવવાના સવાલ પર કહેવાઈ રહ્યું છે કે એવુ કંઈ નથી.પણ સભ્યો ઈચ્છે છે કે રાહુલ ગાંધી અધ્યક્ષ બને. કેટલાક લોકોનું માનવું છે કે રાહુલ તૈયાર નથી તો પૂર્ણકાલિક અધ્યક્ષ માટે કોઈ અન્ય નામ પર ચૂંટણી કરાવવાનો વિચાર કરાય. જો રાહુલ તૈયાર નહીં થાય તો અન્ય કોઈ નામ આવી શકે છે. બેઠકમાં નહેરૂ- ગાંધી પરિવારને નક્કી કરવાનું છે. આજની એટલે કે સોમવારની બેઠકમાં આગળના રોડમેપની સહમતિ બનવાની આશા છે.
સમયાંતરે રાહુલને અધ્યક્ષ બનાવવાની માંગ રહી છે
પાર્ટીને એક યુવા નેતા અને સીડબ્લ્યૂસીના સભ્યએ કહ્યું કે બેઠકમાં અવસર મળતાં જ કોંગ્રેસ અધ્યક્ષના માટે રાહુલ ગાંધીના નામનો પ્રસ્તાવ રખાશે. પાર્ટીના દરેક કાર્યકર્તા અને ખાસ કરીને યુવા ઈચ્છે છે કે રાહુલ ફરીથી કોંગ્રેસની કમાન સંભાળે. લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની હાર બાદ રાહુલ ગાંધીએ અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું હતું. સોનિયા ગાંધીને અંતરિમ અધ્યક્ષ બનાવાયા હતા. અનેક નેતા ફરીથી રાહુલને અધ્યક્ષ બનાવવાની માંગ કરે છે.
એક દિવસ પહેલા અનેક નેતાઓએ સોનિયા ગાંધીને પત્ર લખ્યો
રાજ્યસભામાં વિપક્ષી નેતા ગુલામ નબી આઝાદ સહિત અને કોંગ્રેસના નેતાઓએ સોનિયા ગાંધીને પત્ર લખવાની વાત સીડબ્લ્યૂસીની બેઠકના એક દિવસ પહેલાં કરી હતી. સૂત્રો અનુસાર પત્રમાં કોગ્રેસ સંગઠનમાં ઉપરથી નીચે સુધીના ફેરફાર અને પૂર્ણકાલિક અધ્યત્ર બનાવવાનો સુઝાવ આપ્યો છે.
આ નેતાઓએ કરી છે પત્ર પર સહી
જે નેતાઓએ પત્ર પર સહી કરી છે તે નેતાઓમાં રાજ્યસભાના વિપક્ષી નેતા ગુલામ નબી આઝાદ, કોંગ્રેસના ઉપ-નેતા આનંદ શર્મા, પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ હૂડા, પૃથ્વીરાજ ચવ્હાણ, રાજીન્દર કૌર ભટ્ટલ, પૂર્વ મંત્રી મુકુલ વાસનિક, કપિલ સિબ્બલ, એમ વીરપ્પા મોઇલી, શશી થરૂર, સાંસદ મનીષ તિવારી, પૂર્વ સાંસદ મિલિંદ દેવડા, જિતિન પ્રસાદ અને સંદીપ દિક્ષિત પણ શામેલ છે. પત્રમાં પાર્ટી એકમોના પૂર્વ વડા રાજ બબ્બર, અરવિંદર સિંહ લવલી, કૌલસિંહ ઠાકુર, અખિલેશ પ્રસાદ સિંહ અને કુલદીપ શર્માની પણ સહી છે. સોનિયાને પત્ર લખનારા કેટલાય નેતાઓએ સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેઓએ આ મુદ્દે બોલવાની ના પાડી હતી. એક નેતાએ ચોક્કસપણે કહ્યું, "સોમવારે મળેલી બેઠકમાં કેટલાક નિર્ણયોની અપેક્ષા છે."