સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ગ્રાહકો માટે નવા મહિનાથી અનેક નિયમોમાં ફેરફાર આવી રહ્યા છે જેની અસર તમારા ખિસ્સા પર થશે. જાણો એટીએમ, ચેકબુક અને અન્ય કઈ વાતોને લઈને આવશે ફેરફાર.
SBIના ગ્રાહકો માટે આવ્યું ખાસ એલર્ટ
1 જુલાઈથી થઈ રહ્યા છે અનેક મોટા ફેરફાર
તમારા ખિસ્સા પર વધશે ખર્ચ
SBI બ્રાન્ચથી 4 વારથી વધારે વખત રૂપિયા કાઢવા પર થશે ચાર્જ
જો બેંકના ગ્રાહકો મહિનામાં બેંકથી 4 વારથી વધારે વાર રૂપિયા કાઢે છે તો તેને માટે એડિશનલ ચાર્જ નવા મહિનાથી એટલે કે 1 જુલાઈ 2021થી લેવામાં આવશે. આ ટ્રાન્ઝેક્શનમાં બેંકના એટીએમ પણ સામેલ છે. જો તમે મહિનામાં 4 વારથી વધારે વાર એસબીઆઈની બ્રાન્ચ કે એટીએમથી રૂપિયા કાઢો છો તો તેની પર 15 રુપિયા અને જીએસટીનો ચાર્જ લગાવીને રૂપિયા લેવાશે. દરેક ટ્રાન્ઝેક્શન પર આ ચાર્જ વસૂલવામાં આવશે. આ નિયમ દરેક બ્રાન્ચ માટે લાગૂ રહેશે.
ATMથી રુપિયા કાઢવા માટે પણ લાગશે ચાર્જ
બીએસબીડીના ગ્રાહકો પણ એસબીઆઈના એટીએમ અને બિન એસબીઆઈ એટીએમથી 4 વારથી વધારે વખત રૂપિયા કાઢે છે તો તેમને સર્વિસ ચાર્જનું પેમેન્ટ કરવાનુ રહેશે. સર્વિસ ચાર્જના નામે બેંક 15 રુપિયા અને જીએસટીનો ચાર્જ લગાવીને રૂપિયા લેશે.
ચેકબુક માટે પણ આપવાના રહેશે વધારે રૂપિયા
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા બીએસબીડી ખાતા ધારકોએ 10 ચેકબુક પર કોઈ ચાર્જ આપવાનો રહેશે નહીં. પણ 10 ચેક પછી 40 રૂપિયા અને જીએસટી ચાર્જ સાથે રૂપિયા આપવાના રહેશે. 25 ચેકની ચેકબુક માટે 75 રૂપિયા લેવાશે અને ઈમરજન્સી ચેકબુક પર 50 રૂપિયાનો ચાર્જ આપવાનો રહેશે. સીનિયર સિટીઝન માટે આ સુવિધા માટે કોઈ વધારે ચાર્જ લેવાશે નહીં.
SBI BSBD એકાઉન્ટ શું છે ?
BSBD ને સરળ ભાષામાં ઝીરો બેલેન્સ એકાઉન્ટ કહેવામાં આવે છે. આ બચત ખાતાની અનેક ખાસિયતો છે. તેમાં ગ્રાહકને એસબીઆઈની તરફથી બરોબર વ્યાજ મળે છે. સાથે આ ખાતામાં અનેક સ્પેશ્યિલ સુવિધાઓ મળે છે. જે સામાન્ય બચત ખાતા ધારકોને મળતી નથી. આ ખાતામાં ગ્રાહકને ન્યૂનતમ બેલેન્સ રાખવાની છૂટ, ફ્રી એટીએમ અને ડેબિટ કાર્ડ અને સાથે વધારે બેલેન્સની સીમાની છૂટ સહિતની અનેક સુવિધાઓ મળે છે.