અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈ પોલીસ કમિશનરે કર્ફ્યૂની જાહેરાત કરાઈ છે સાથે જાહેરનામું પણ બહાર પાડ્યું, સાથે કયા-કયા રૂટ બંધ રખાશે તેની પણ યાદી જાહેર કરાઈ
રથયાત્રાને લઇ મંદિરમાં જોરશોરથી તૈયારીઓ
શહેરમાં કોરોના પ્રોટોકોલ સાથે થશે નિકળશે રથયાત્રા
આવતીકાલે તમામ ખલાસીઓના થશે કોરોના ટેસ્ટ
અમદાવાદ શહેરમાં કોરોના વચ્ચે ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા યોજાશે. રાજ્ય સરકારે રથયાત્રાના રૂટ પર કર્ફ્યૂ લગાવી રથયાત્રા યોજવાની મંજૂરી આપી છે. ત્યારે રથયાત્રાને લઇ મંદિરમાં જોરશોરથી તૈયારીઓ શરૂ થઈ છે. રથયાત્રામાં માત્ર 3 રથ સાથે 120 ખલાસીઓને મંજૂરી આપવામાં આવી છે. આથી રથયાત્રમાં જોડાવનાર તમામ ખલાસીઓના કોરોના ટેસ્ટનું આયોજન કરાયું છે. આવતીકાલે બપોરે 3.30 વાગે મંદિરમાં વેકસિનેટેડ તમામ ખલાસીઓનું કોરોના ટેસ્ટ થશે.
અમદાવાદમાં રથયાત્રાની તૈયારીઓનો ધમધમાટ
રથયાત્રાના દિવસે ટ્રાફિક મુદ્દે જાહેરનામું જાહેર
8 પોલીસ સ્ટેશન વિસ્તારોમાં કર્ફ્યૂ લાગુ થશે
સવારે 5 વાગ્યાથી રથયાત્રા પૂર્ણ થાય ત્યા સુધી કર્ફ્યૂ
કાલુપુર બ્રિજ, પ્રેમ દરવાજા, આસ્ટોડિયાથી સારંગપુર માર્ગ બંધ
રથયાત્રા રૂટ પરના વિસ્તારોમાં નો પાર્કિગ ઝોન જાહેર
અમદાવાદમાં રથયાત્રાની તડામાર તૈયારી ચાલી રહી છે. ત્યારે રથયાત્રાને લઇ સઘન સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કરાયું. ગૃહ રાજ્યમંત્રીનું પ્રદિપસિંહ જાડેજાએ રૂટનું નિરીક્ષણ કર્યું. અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી. ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું કે 12 જૂલાઈએ રથયાત્રા નીકળશે. જેમાં અમિત શાહ મંગળા આરતી કરશે અને સીએમ રૂપાણી પહિંદવિધિ કરશે.
પ્રદીપસિંહે કહ્યું કે કોરોનાની સ્થિતિમાં લોકોની આસ્થા-સ્વાસ્થ્યનું જતન કરવાનું છે. અને અલગ પરિસ્થિતિ હોવાના કારણે સમગ્ર રૂટનું નિરીક્ષણ કરાયું છે. સાથે જ તમામ પ્રોટોકોલનું પાલન થાય તે માટે સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કરાશે. અને 16 જેટલા ડ્રોન સહિતથી દેખરેખ રખાશે. કોરોના પ્રોટોકોલનું ઉલ્લંઘન ન થાય તેનું ધ્યાન રખાશે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આવશે ગુજરાત
અમિત શાહ આવતીકાલથી 3 દિવસના ગુજરાત પ્રવાસે છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલ સાંજે અમદાવાદ આવશે. 12 જૂલાઇએ પરિવાર સાથે જગન્નાથ મંદિરમાં અમિત શાહ દર્શન કરશે. અમિત શાહ વહેલી સવારે પરિવાર સાથે મંગળા આરતી કરશે. અમિત શાહ 11 જૂલાઇએ બોપલ અને વેજલપુરમાં વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. અને સાબરમતી વિસ્તારના નવા વાડજ ખાતે બનેલા પંપીગ સ્ટેશન ખુલ્લો મુકશે. સાથે જ સાણંદ APCMમાં બનેવ નવનિર્મિત ભવનનું લોકાર્પણ કરશે.
નાથની નગરયાત્રા માટે પરવાનગી મળી ગઈ છે. 144મી રથયાત્રામાં નાથ નગરજનોના ઘરે આવશે. નાથની નગરયાત્રા અંગે VTVએ પહેલાં જ સમાચાર પ્રસ્તુત કર્યા હતા કે રથયાત્રાને પરમિશન મળશે. જો કે અંતે રાજ્ય સરકારે રથયાત્રા માટે બાંહેધરી આપતા નગરજનોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે. કોરોના મહમારીને ધ્યાને રાખી રાજ્ય સરકારે કોરોના પ્રોટોકોલ સાથે પરવાનગી આપી છે.