મેજર ધ્યાનચંદની જયંતી એટલે કે 29 ઓગસ્ટે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે 18 ખેલાડીઓને રાષ્ટ્રીય રમત પૂરસ્કારથી સમ્માનિત કર્યા. રાષ્ટ્રપતિએ સૌથી પહેલા રિયો પેરાલિમ્પિકની મેડલ વિજેતા દીપા મલિકને દેશનું સર્વોચ્ચ ખેલ સમ્માન રાજીવ ગાંધી ખેલ રત્નથી સમ્માનિત કરાયા. આ વર્ષે બે ખેલાડીઓને રાજીવ ગાંધી ખેલ રત્ને સમ્માન માટે ચૂંટવામાં આવ્યા છે.
ગત વર્ષે જકાર્તા એશિયાઇ રમતોમાં ગોલ્ડ મેડલ જીતનાર પહેલવાન બજરંગ પૂનિયા પણ આ સમ્માન માટે પસંદ કરાયા છે. પરંતુ રાષ્ટ્રપતિએ આજે તેમને સમ્માનિત નથી કર્યા. કેમકે આવતા મહીને યોજાનાર વર્લ્ડ ચેમ્પિયનશિપની તૈયારીઓને ધ્યાનમાં રાખી હાલ તે વિદેશમાં ટ્રેનિંગ લઇ રહ્યા છે. વર્લ્ડ ચેમ્પિયનશિપ બાદ તે કેન્દ્રીય રમત મંત્રી કિરમ રિજિજૂથી પોતાનું સમ્માન ગ્રહણ કરશે.
Delhi: Shuttler Sai Praneeth receives Arjuna Award from President Ram Nath Kovind. pic.twitter.com/pUqNKIsNfU
બજરંગ ઉપરાંત અર્જુન પૂરસ્કાર માટે ચૂંટવામાં આવેલા ક્રિકેટર રવિન્દ્ર જાડેજા, મહિલા નિશાનેબાજ અંજુમ મોદગિલ, પેરા જ્વેલિન થ્રોઅર, સુંદર સિંહ ગુર્જર, શોટપુટર તેજિન્દર પાલ સિંહ તૂર પણ પોત પોતાના ઇવેન્ટને પગલે પૂરસ્કાર સમારોહમાં હાજર ન રહી શક્યા. આ ઉપરાંત દ્રોણાચાર્ચ પૂરસ્કાર માટે મોહિંદર સિંહ ઢિલ્લો પણ સમારોહમાં હાજર ન રહી શક્યા. આ તમામનું બાદમાં રમત મંત્રી સમ્માનિત કરશે.
Asian Games Gold medalist Swapna Barman receives Arjuna Award from President Ram Nath Kovind in Delhi. pic.twitter.com/9b88SJeGvo