મહારાષ્ટ્રમાં ભાજપના દિગ્ગજ નેતા પાર્ટી છોડીને શરદ પવારની સાથે જતા રહ્યા છે, જતા તેમણે મહારાષ્ટ્રની ભાજપ અને દેવેન્દ્ર ફડણવીસ પર કેટલાક આરોપો પણ લગાવ્યા.
NCPમાં સામેલ થયા બાદ એકનાથ ખડસેએ ભાજપ પર સાધ્યું નિશાન
કેટલાય નેતાઓ ભાજપ છોડવા માંગે છે : એકનાથ ખડસે
હવે બતાવી દઈશું કે ખડસે શું ચીજ છે : એકનાથ ખડસે
ભાજપ છોડીને એનસીપીમાં થયા સામેલ
મહારાષ્ટ્રમાં ભાજપના દિગ્ગજ નેતા એકનાથ ખડસે કેસરિયો ખેસ ત્યાગીને એનસીપીમાં સામેલ થઇ ગયા છે ત્યારે તેમણે ભાજપને લઈને મોટા દાવા કર્યા છે. એકનાથ ખડસેએ કહ્યું કે બતાવી દઈશ કે ખડસે શું ચીજ છે. તેમણે કહ્યું કે જે નિષ્ઠાથી ભાજપમાં કામ કર્યું હતું તેટલી જ નિષ્ઠાથી તેઓ હવે એનસીપીમાં કામ કરશે. એકનાથ ખડસેએ દાવો કર્યો કે કેટલાય નેતાઓ ભાજપને છોડવા માંગે છે પરંતુ બધાને એમ કહીને જ રોકી લેવામાં આવે છે કે મહારાષ્ટ્રની સરકાર પડવા જઈ રહી છે. તેમણે એવો પણ દવાઓ કર્યો કે સરકાર કયાંય પડવાની નથી.
Many people want to leave BJP and to stop them the party says the government (in Maharashtra) is going to collapse, but the government is not going to fall: Eknath Khadse, who joined NCP yesterday after quitting from BJP pic.twitter.com/M2sYwpNfId
કેટલાક લોકો મહિલાનો સહારો લઈને વાર કરે છે : એકનાથ ખડસે
ખડસેએ વધુમાં કહ્યું કે મેં 40 વર્ષ સુધી ભાજપમાં રાજકારણ કર્યું પરંતુ ક્યારેય કોઈની પીઠ પાછળ છરો ભોંક્યો નથી અને ક્યારેય મહિલાનો સહારો લઈને ક્યારેય વાર કર્યો નથી, જે પણ વાત છે તે સીધી અને સામે જ કરું છું પણ કેટલાક લોકો મહિલાઓનો સહારો લઈને વાર કરે છે.
એકનાથ ખડસેએ કહ્યું કે લાંબા રાજકીય જીવનમાં માત્ર લોકોને પોતાની સાથે જોડવાનું જ કામ કર્યું છે પરંતુ તેમનાથી જોડાયેલા લોકોને ભાજપમાં તેમનું અપમાન સહન થઇ રહ્યું ન હતું. ખડસેએ કહ્યું કે 'તે સતત દબાણ બનાવી રહ્યા હતા કે હું ભાજપ છોડીને એનસીપીમાં સામેલ થઈ જઉં'