ભારતીય ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ ખૂબ જ ઝડપથી વિશ્વના ટોચના ઝડપી બોલરોની લિસ્ટમાં સામેલ થઈ ગયો છે, પરંતુ તેણે કહ્યું કે, ઘણાં લોકોએ એવું વિચાર્યું હતું કે, હું ભારતીય ટીમમાં લાંબો સમય ટકી શકીશ નહીં અને રમી નહીં શકું. બુમરાહે આ વાતનો ખુલાસો પૂર્વ ભારતીય બેટ્સમેન યુવરાજ સિંહ સાથે ઈન્સ્ટાગ્રામ લાઇવ ચેટ દરમિયાન કર્યો હતો.
લોકડાઉનને કારણે સમગ્ર ક્રિકેટ જગત થંભી ગયું છે
તો ક્રિકેટરો લાઈવ ચેટ દ્વારા એકબીજાથી કનેક્ટેડ રહી રહ્યાં છે
હાલમાં જ યુવરાજ સાથે લાઈવ ચેટમાં બુમરાહે જણાવી આ વાત
તમને જણાવી દઈએ કે, હાલ દેશમાં લોકડાઉન હોવાને કારણે બોલિવૂડથી લઈને ક્રિકેટ જગતના ખેલાડીઓ પણ સોશિયલ મીડિયા પર વધુ એક્ટિવ થઈ ગયા છે. ત્યારે ખેલાડીઓ લાઈવ ચેટ દ્વારા એકબીજાથી કનેક્ટેડ રહે છે. તો હાલમાં જ યુવરાજ સિંહ અને બુમરાહ પણ ઈન્સ્ટા પર લાઈવ ચેટ કરી હતી.
યુવરાજે લાઈવ ચેટ દરમિયાન બુમરાહથી તેની અજીબ બોલિંગ એક્શન વિશે પૂછ્યું તો, બુમરાહે કહ્યું ઘણાં લોકોએ મને કહ્યું હતું કે, હું લાંબા સમય સુધી રમી નહીં શકું અને ભારતીય ટીમમાં મારી જગ્યા નહીં બનાવી શકું અને એવું પણ કહ્યું હતું કે, હું દેશ માટે રમનારો છેલ્લો ખેલાડી હોઈશ.
જસપ્રીત બુમરાહે જાન્યુઆરી 2016માં 26 વર્ષીની ઉંમરે ભારત માટે પદાર્પણ કર્યું હતું. યુવરાજ સાથે આ લાઈવ ચેટ દરમિયાન બુમરાહે કહ્યું, 'લોકોએ મને કહ્યું હતું કે હું માત્ર રણજી ટ્રોફી જ રમીશ. પરંતુ હું મારી અંદર સુધાર કરતો રહ્યો અને મારા એક્શન પર અડગ રહ્યો.